ખેડૂતોના આંદોલનનો આજે 16મો દિવસ છે ત્યારે બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્ર દેઓલે ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. ધર્મેન્દ્રએ કહ્યું કે હું મારા ખેડૂત ભાઇઓની પીડા જોઇને દુખી છું.
ખેડૂત આંદોલનનો 16મો દિવસ
ધર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં કર્યું ટ્વીટ
સરકારને કહ્યું, મને દુ:ખ થાય છે આ જોઇને, ઉકેલ લાવો
આ સાથે જ ધર્મેન્દ્રએ એવું પણ લખ્યું કે, સરકારે આ મામલે ઝડપથી સમાધાન કરવું જોઇએ. નોંધનીય છે કે, આ પહેલા પણ ધર્મેન્દ્રએ ટ્વીટ કર્યું હતું અને તરત જ તેમણે ડિલીટ કર્યું હતું.
ધર્મેન્દ્રએ કર્યું આવું ટ્વીટ
ધર્મેન્દ્રએ ટ્વીટમાં લખ્યું છે- 'સરકારને પ્રાર્થના છે, જલ્દી ખેડૂત ભાઈઓની સમસ્યાનું સમાધાન શોધી લો, દિલ્હીમાં કોરોના કેસ વધી રહ્યા છે, આ જોઈને દર્દ થાય છે.' ધર્મેન્દ્રનું આ ટ્વીટ વાયરલ થયું છે. પરંતુ તે પછી અચાનક ધર્મેન્દ્રએ તેમનું ટ્વીટ ડિલીટ કર્યું. ધર્મેન્દ્રની અચાનક ટ્વીટ ડિલીટ થતાં ઘણા લોકો આશ્ચર્યચકિત થયા. ઘણા યુઝર્સે ધર્મેન્દ્રને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
I am extremely in pain to see the suffering of my farmer brothers . Government should do something fast . pic.twitter.com/WtaxdTZRg7
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ ખેડૂતોની પરિસ્થિતિને કારણે દુખ થઇ રહ્યું છે. તેણે પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું છે- ખેડૂત આપણા સૈનિક છે. તેમના બધા ભય દૂર કરવા મહત્વપૂર્ણ છે. તેમની અપેક્ષાઓ પૂર્ણ થવી જ જોઇએ. લોકશાહી તરીકે, આ વિવાદને જલ્દીથી હલ કરવાની આપણી જવાબદારી છે.
પંજાબી એક્ટર એમી વિર્કે ખેડૂતોનું સમર્થન કર્યું
પંજાબી એક્ટર એમી વિર્કે ખેડૂતોનું સમર્થનમાં કહ્યું હતું કે, લોકો પોતાની રીતે જ માણસાઇના ચાહે છે તો તેમણે ખેડૂતોનું સમર્થન કરવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, દુનિયાભરના લોકો એક ટ્વીટ દ્વારા ખેડૂતોને સમર્થન આપી શકે છે તેના માટે રસ્તા પર ઉતરવાની જરૂર નથી.
ગાયક રુપિન્દર હાંડા ઉતરી ખેડૂતોના સમર્થનમાં
પંજાબી ગાયકોએ ખેડૂતોના સમર્થનમાં ગીતો ગાયાં અને હવે સોશિયલ મીડિયા પર આવી રહેલી નવી તસવીરોમાં ગાયક રુપિન્દર હાંડા ખેડૂતો માટે રોટલી અને બ્રેડના ભજીયા બનાવતા નજરે પડી રહી છે.
આ તસવીરો અને વીડિયો ખુદ રુપિન્દરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ઘણા સમયથી કૃષિ કાયદામાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે અને હવે તેમાં ખેડૂતોનો સાથ આપતા રુપિંદર હાંડાએ આ વીડિયો ટિકરી બોર્ડર પરથી શૅર કરી છે. પોસ્ટના કૅપ્શનમાં રૂપિંદરે લખ્યું કે આજે પણ લંગરની સેવા આપી રહ્યાં છે. વાહેગુરુ ભલું કરે.
દિલજીતે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું
આ અગાઉ પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતો એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ નાણાંથી ખેડુતોને ગરમ વસ્ત્રો આપવામાં આવશે. ઠંડા વાતાવરણમાં પંજાબના ખેડુતો અને વડીલો સરહદ પર ધરણા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલજીતે શિયાળાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું.