કોરોના મહામારીએ ઘણા લોકોની રોજી-રોટી છીનવી લીધી છે ત્યારે લોકો નાનુ મોટુ કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યાં છે.
કોરોનાના કારણે છોડી એક્ટિંગ
એક્ટર માછલી વેચવા મજબૂર
કોરોનામાં એક્ટર થયો પાયમાલ
સામાન્ય માણસ નહી પરંતુ મનોરંજન જગતના લોકોને પણ કોરોના મહામારીએ બાકાત નથી રાખ્યા, તેમના કામ પર પણ ગ્રહણ લગાવ્યું છે. ટોલીવૂડ ઇન્ડસ્ટ્રી પર ઉંડો પ્રભાવ પડ્યો છે. ફેમસ એક્ટર અરિંદમ પ્રામાણીક પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે માછલી વેચવાનું કામ કરી રહ્યાં છે.
કોરોનામાં થયા પાયમાલ
અરિંદમ કહે છે કે, મારા પિતા પહેલા શાક વેચવાનું કામ કરતા હતા પરંતુ હું હંમેશાથી એક સફળ એક્ટર બનવા માગતો હતો. જ્યારે મે તે પ્રોફેશનમાં ડગ માંડ્યા ત્યારથી અત્યાર સુધી મારા પિતાએ કામ કર્યુ નથી પરંતુ કોરોનાના કારણે મારે એક્ટિંગ છોડીને માછલી વેચવાનું કામ કરવુ પડ્યું. માછલી વેચીને મારા પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે.
રસ્તા પર માછલી વેચવું આસાન નહી
અરિંદમે કહ્યું કે, ટોલીવૂડના ઘણી ફિલ્મ અને સિરીયલમાં કામ કરીને એક અલગ ઓળખાણ બનાવી છે. સમયે એવી મજાક કરી છે કે હવે રોજ સ્ટેશન પર માછલી વેચવી પડે છે. આ રીતે માછલી વેચવું આસાન નથી.
સુવર્ણલતા શોથી મળી ઓળખાણ
મહત્વનું છે કે, અરિંદમે 11મા ધોરણથી નાટકમાં કામ કરવાની શરૂઆત કરી હતી પરંતુ 2011માં આવેલી બંગાળી મેગા સિરીયલ સુબર્ણલતાથી તેને ઓળખાણ મળી હતી. આ સિરીયલથી તે ઘરે ઘરે જાણીતા થયા હતા અને તેમનું કરિયર દોડવા લાગ્યું હતુ. સમયે એવી મજાક કરી કે હવે તેમણે માછલી વેચીને દિવસો પસાર કરવા પડી રહ્યાં છે.