બોલીવુડ અભિનેતા અને કવિ અરૂણ વર્માનું લાંબી બિમારીને પગલે નિધન થયુ. અરૂણ ભોપાલના રહેવાસી હતા. તેની સારવાર પીપલ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. ગુરૂવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
બોલીવુડ અભિનેતા અરૂણ વર્માનું થયુ નિધન
કોમેડિયન ઉદય દહિયાએ સો.મીડિયામાં અરૂણ વર્માની તસ્વીર કરી શેર
ભગવાન તેમને પોતાના ચરણમાં સ્થાન આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ
કવિ અરૂણ વર્માનું નિધન
અરૂણ વર્માએ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન અને સંજય દત્ત સિવાય ઘણા મોટા નેતાઓની સાથે કામ કર્યુ હતુ. અભિનેતા અને કોમેડિયન ઉદય દહિયાએ સોશિયલ મીડિયામાં અરૂણ વર્માની તસ્વીર શેર કરી આ દુ:ખદ જાણકારીને શેર કરી. તેમણે લખ્યું, ખૂબ જ દુખની સાથે જણાવવુ પડી રહ્યું છે કે મારા મિત્ર અભિનેતા અરૂણ વર્માનુ આજે સવારે ભોપાલમાં નિધન થઇ ગયુ છે. ભગવાન તેમને પોતાના ચરણમાં સ્થાન આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ..
80થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ
મીડિયા રિપોર્ટસ મુજબ, અરૂણ વર્માએ પોતાની કારકિર્દીમાં 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. તેઓ ઘણી ટીવી સીરિયલનો ભાગ પણ રહી ચૂક્યા છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બિમારી સામે ઝઝૂમી રહ્યાં હતા અને 20 જાન્યુઆરીએ અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા.