રામાનંદ સાગર સીરિયલ રામાયણમાં તેમણે ભગવાન રામની ભૂમિકા નિભાવી હતી. અરૂણ ગોવિલે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહ હાજર રહ્યા.
ભાજપમાં સામેલ થયા બાદ અરૂણ ગોવિલે કહ્યું કે, આ સમયે જે અમારૂ કર્તવ્ય છે તે કરવું જોઇએ. મને રાજનીતિ આજથી પહેલા સમજ નહોતી આવતી, પરંતુ મોદીજીએ જ્યારથી દેશ સંભાળ્યો છે ત્યારથી દેશની પરિભાષા જ બદલાઇ ગઇ. મારા દિલ દિમાગમાં જે થાય છે તે કરી દઉં છું.
અરૂણ ગોવિલે કહ્યું કે, હવે હું દેશ માટે યોગદાન આપવા માંગુ છું અને તેના માટે આપણે એક મંચની જરૂર છે અને ભાજપ આજે સૌથી સારૂ મંચ છે. તેમણે કહ્યું કે, પ્રથમ વખત મેં જોયું કે મમતા બેનર્જીને જય શ્રી રામના નારથી એલર્જી થઈ. જય શ્રી રામ માત્ર એક નારો નથી.
5 રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી વચ્ચે અરૂણ ગોવિલની ભાજપમાં એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે. જોકે, પાર્ટીમાં અરૂણ ગોવિલની જવાબદારી શું હશે આ હવે સ્પષ્ટ નથી. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ગોવિલ ભાજપનું સભ્યપદ લીધા બાદ વિધાનસભા ચૂંટણી પણ લડી શકે છે, જોકે આ અંગે પાર્ટીએ કે ગોવિલે કોઇ નિવેદન નથી આપ્યું.
તમને જણાવી દઇએ કે, અરૂણ ગોવિલ પહેલા રામાયણ સીરિયલના બીજા કલાકાર પણ રાજનીતિમાં આવી ચૂક્યા છે. રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવનારી દીપિકા ચિખલિયા સિવાય હનુમાનની ભૂમિકા નિભાવનારા દારાસિંહ અને રાવણની ભૂમિકા નિભાવનારા અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં ઉતરી ચૂક્યા છે. દીપિકા ચિખલિયા ભાજપની ટિકીટ પર બે વખત ચૂંટણી લડી ચૂક્યા છે. દીપિકા ચિખલિયા ભાજપની ટિકિટ પર બે વખત ચૂંટણી લડી ચૂક્યા છે.