71માં ગણતંત્ર દિવસને બૉલિવુડ એક્ટર-એક્ટ્રેસે ખાસ રીતે મનાવ્યો છે. જેમાં દીયા મિર્ઝા, કરણ વાહી અને મૃણાલ ઠાકુર જેવા સિતારાઓએ મુંબઇના બીચ પર જઇને સાફ-સફાઇ કરી જ્યારે અર્જુન રામપાલે આ દિવસે માનવતાની ભલાઇ માટે એક મોટો નિર્ણય લીધો છે. અર્જુને સોશિયલ મીડિયા પર શેર કર્યું કે તેઓ ગણતંત્ર દિવસના સ્પેશિયલ અવસરે અંગદાન કરી રહ્યા છે.
71માં ગણતંત્ર દિવસને બૉલીવુડ એક્ટર-એક્ટ્રેસે ખાસ રીતે મનાવ્યો
71માં ગણતંત્ર દિવસે હું એક ઑર્ગન ડોનર બની ગયો: અર્જુન રામપાલ
અર્જુનના ફેન્સે આ સમયે ખાસ રિએક્સન આપ્યા
47 વર્ષના એક્ટરે પોતાના અંગદાન પ્રીવિલેઝ્ડ કાર્ડનો ફોટો શેર કર્યો છે. આ કાર્ડમાં અર્જુનના બ્લડ ગ્રુપની ડિટેઇલ્સને જોઇ શકાય છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું કે, હંમેશાથી આવું કરવા માંગતા હતા. અંતે કરી નાખ્યું. પ્રૉમિસ કરું છું કે સ્વસ્થ રહીશ અને પોતાના અંગોને પણ સ્વસ્થ રાખીશ. 71માં ગણતંત્ર દિવસે હું એક ઑર્ગન ડોનર બની ગયો છું. થેન્ક્યૂ ડૉ. નિમેશ મેહતા અને ડૉ. અપર્ણા માને. મને ખુશી અનુભવાય રહી છે.
અર્જુનના ફેન્સે આ સમયે ખાસ રિએક્સન આપ્યા છે. તેમણે અર્જુનના આ મહાદાનના ઘણા વખાણ કર્યા છે. અર્જુનના વધુ પડતા ફેન્સ તેમના આ પ્રયાસથી ઘણા ખુશ નજરે પડ્યાં.
ઉલ્લેખનીય છે કે અર્જુન રામપાલ તે સમયે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પોતાના 21 વર્ષના લગ્ન તોડી નાખ્યા હતા. અર્જુને પત્ની મેહર જેસિયાથી તલાક લઇ લીધા હતા. તલાક પહેલા જ અર્જુનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડસ માં બની ગઇ હતી. તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. અર્જુન અને ગૈબ્રએલાની લવ સ્ટોરીની વાત કરીએ તો બન્નેની મુલાકાત 2009માં આઈપીએલની ઑફ્ટર પાર્ટીમાં થઇ હતી. કેટલાક વર્ષો બાદ બન્ને એક બીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કેટલાક સમય પહેલા વેબસીરીઝમાં નજરે આવ્યા હતા. અર્જુન રામપાલની છેલ્લી ફિલ્મ પલટન હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. અર્જુન આ સિવાય ફિલ્મ નાસ્તિકને લઇને ચર્ચામાં આવ્યા હતા.