પંજાબના ગુરદાસપુરથી સાંસદ અને એક્ટર સની દેઓલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ મુંબઈમાં ખભાની સર્જરી કરાવ્યા બાદ મનાલી આવ્યા છે. એક મહિનાથી મનાલીના દશાલ ગામમાં રહે છે.
એક્ટર સની દેઓલ કોરોના સંક્રમિત
કુલ્લૂના CMO ડૉ. સુશીલ ચંદ્રએ કરી પુષ્ટિ
સની દેઓલ દર 10 દિવસે કોવિડ-19 તપાસ માટે ટેસ્ટ કરાવી રહ્યા હતા
સની દેઓલ દર 10 દિવસે કોવિડ-19 તપાસ માટે ટેસ્ટ કરાવી રહ્યા હતા. પરિવારના સભ્યો પણ સાથે આવ્યા હતા, જે મુંબઈ પરત ફર્યા છે. ભાજપ સાંસદ સની દેઓલને બુધવારે પરત ફરવાનું હતું. જેને લઇને તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કુલ્લૂના CMO ડૉ. સુશીલ ચંદ્રએ જણાવ્યું કે, સની દેઓલ કોરોના ટેસ્ટ કરાવવા માટે પોતે ફોન કરીને સ્વાસ્થ્ય વિભાગની ટીમને બોલાવતા હતા. મંગળવારે જ તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ડૉ. દેવેન્દ્રના જણાવ્યા અનુસાર, કોવિડ-19 તપાસ માટે તેમનું સેમ્પલ 63 વર્ષીય અજય સિંહ દેઓલ(સની દેઓલ) નામથી લેવામાં આવ્યું હતું, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.