સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, કયા કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમને કોરોના થયો હોવાનું સામે આવતા હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ટ્વીટ કરીને આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે, તેમણે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે તેમના પરિવાર અને સ્ટાફની પણ કોરોના વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ
અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અપીલ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો કોરોનાનો ટેસ્ટ તાત્કાલિક કરાવી લે.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં અમિતાભ બચ્ચન હાલ ખૂબ જ જાણીતા ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 12 મી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 77 વર્ષીય અમિતાભ બચ્ચનને રૂટિન તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.