અભિનેતા અમિતાભ બચ્ચને હાલ કોરોના પર વિજય મેળવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર બચ્ચનને ટ્રોલરોએ ટ્રોલ કર્યા હતા. જોકે બચ્ચને ટ્રોલરોને તેમની ભાષામાં જવાબ આપ્યો હતી. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન થોડા દિવસ અગાઉ જ કોરોના મુક્ત થયા છે.
અમિતાભ બચ્ચને કોરોનાને હરાવ્યો
અમૂલ બ્રાન્ડે તેમને સન્માનિત કરતા થયા ટ્રોલ
બચ્ચને ટ્રોલરોને તેમની ભાષામાં જવાબ આપ્યો
હાલમાં જ અમૂલ બ્રાંડને લઈને ટ્રોલરોએ બચ્ચનને ટ્રોલ કર્યા હતા. ટ્રોલરે કહ્યું કે ગરીબોમાં તમે તમારી સંપતિ દાન કરો. યુઝરે સવાલ કર્યો કે, મને વિશ્વાસ છે કે, તમે ગરીબોને દાન કરશો અને તમારા ખિસ્સામાં પ્રેમ અને ભગવાનની કૃપા છે તેના કારણે તમે એ પ્રેમ અને ભગવાનની કૃપા લોકોમાં દાન કરો અને સમાજમાં નવો દાખલો બેસાડો.
આ પહેલા પણ અમિતાભ બચ્ચનની ચેરીટીને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા. લોકડાઉનના સમયે પણ તેમના એકાઉન્ટ પર લોકોએ દાનને લઈને બચ્ચનને ટ્રોલ કર્યા હતા. પરંતુ હવે બચ્ચને તમામ ટ્રોલરોને જડબાતોડ જવાબ આપ્યો છે. બચ્ચને કહ્યું કે તેમણે લૉકડાઉનમાં પણ મનભરીને દાન કર્યું હતુ અને આગામી સમયમાં પણ કરતા રહેશે. પરંતુ દાન આપીને બતાવવું જરૂરી છે તે ખબર નહોતી. બચ્ચને પહેલીવાર આ પ્રકારે ચેરીટીની વાત સોશિયલ મીડિયા પર કરી હતી.
અમિતાભે ગણાવી દીધી આખી યાદી
અમિતાભે જણાવ્યું કે, લૉકડાઉનના તે સમયમાં 5000 લોકોને તેમણે જમવાનું આપ્યું છે. મુંબઈથી જઇ રહેલા 12000 પ્રવાસી મજૂરોને બૂટ-ચપ્પલ આપ્યા છે. બિહાર અને યુપી પહોંચવા માટે મજૂરો માટે બસોની વ્યવસ્થા કરી છે. 2009માં તો આખી ટ્રેન મજૂરો માટે બુક કરી હતી. જ્યારે રાજનીતિના કારણે ટ્રેન કેન્સલ થઇ તો ઇન્ડિગોના 6 વિમાન દ્વારા 180 પેસેન્જરોને તેમના ઘરે પહોંચાડ્યા. પોતાના ખર્ચે 15000 પીપીઈ કિટ આપી છે, 10000 માસ્ક આપ્યા છે. દિલ્હીમાં સિખ સમુદાયના ચેરમેનને ઘણુ દાન આપ્યું છે કારણ કે તેઓ સતત ગરીબોને જમવાનું આપી રહ્યા છે.