બોલિવૂડ એક્ટ્રેસ રૂચા ચઢ્ઢા પોતાના એક ટ્વીટને લઇને વિવાદોમાં ફસાતા દેખાઇ રહ્યાં છે. રૂચા ચઢ્ઢાએ ગલવાન ઇન્સિડેન્ટ વિષે કંઇક એવું કહ્યું કે જેના કારણે વિવાદો ઊભા થયાં છે. એક્ટ્રેસે તેના પર માફી પણ માંગી છે પણ વિવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. હવે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે રૂચા ચઢ્ઢાને ટ્વીટ કરી જવાબ આપ્યો છે.
રૂચા ચઢ્ઢાએ ભારતીય સેનાનો ઉડાવ્યો મજાક
અક્ષય કુમાર અને વિવેક અગ્નિહોત્રીએ કર્યા પ્રહાર
ટ્વીટર પર આપ્યા રૂચાને જવાબ
બોલિવુડ એક્ટ્રેસ રૂચા ચઢ્ઢા પોતાના એક ટ્વીટને લઇને વિવાદોમાં આવી ગયાં છે. તેણે ભારતીય સેનાનાં કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનાં એક ટ્વીટને રીટ્વીટ કરીને કંઇક એવું કહ્યું કે જેના કારણે વિવાદમાં તેનું નામ સપડાઇ ગયું. હવે બોલિવુડ એક્ટર અક્ષય કુમારે રૂચાને જવાબ આપ્યો છે.
Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH
અક્ષય કુમારનો રૂચા ચઢ્ઢાને જવાબ
અક્ષય કુમારે રૂચાનાં વાયરલ ટ્વીટને સ્ક્રીનશઓટને ટ્વીટ કરીને લખ્યું કે આ જોઇને દુ:ખ થઇ રહ્યું છે. કોઇએ ક્યારેય પણ આપણી આર્મી ફોર્સ પ્રતિની કૃતજ્ઞતા ભૂલવી ન જોઈએ. તે છે તો આજે આપણે છીએ. તેની સાથે જ અક્ષયે હાથ જોડતી ઇમોજી પણ મૂકી હતી.
I am not surprised at all with this behaviour. They genuinely feel anti-India. Dil ki baat jubaan pe aa hi jaati hai.
And then they ask why people want to #BoycottBollywood#Shamepic.twitter.com/Y9GgOxDUjs
વિવેક અગ્નિહોત્રીએ પણ આપ્યો જવાબ
ધ ક્શમીર ફાઇલ્સનાં ફિલ્મ ડાયેરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ રૂચા પર નિશાનો સાધતાં લખ્યું કે આ બિહેવિયરને જોઇને હું જરા પણ આશ્ચર્યચકિત નથી. તે ખરેખર એન્ટી-ઇન્ડિયા ફીલ કરે છે. દિલની વાત મોઢે આવી જ જાય છે અને પછી તે પૂછે છે કે લોકો બોલિવૂડ શા માટે બોયકોટ કરવા માંગે છે.
રૂચા ચઢ્ઢાએ કરી હતી આ ટ્વીટ
રૂચા ચઢ્ઢાએ ઉત્તરી સેનાનાં કમાન્ડર લેફ્ટેનેન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનાં નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરને પાછું લાવવાનાં આદેશને પૂરું કરવા માટે તૈયાર છે. ત્યારે આ ટ્વીટને રિટ્વીટ કરી રૂચાએ લખ્યું કે Galwan says hi. રૂચાની આ પ્રતિક્રિયા લોકોને પસંદ આવી નહીં અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યુ. લોકોનું કહેવું હતું કે રૂચાએ આપણા ગલવાનમાં શહિદ થયેલ સૈનિકોનો મજાક બનાવ્યો છે.
રૂચાએ માંગી માફી
ટ્વીટ પર વિવાદો થયા બાદ રૂચાએ માફી પણ માંગી હતી. તેણે લખ્યું કે મારો ઉદેશ્ય સેનાનું અપમાન કરવાનો નહોતો. મારા ત્રણ શબ્દોને વિવાદમાં ખેંચવામાં આવ્યાં છે. કોઇને જો ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. તેણે લખ્યું કે મારા નાનાજી ખુદ સેનામાં હતાં અને લેફ્ટિનેન્ટ કર્નલની પોસ્ટ પર હતાં. ભારત - ચીન યુદ્ધમાં તેમના પગ પર ગોળી લાગી હતી. મારા મામાજી પણ પેરાટ્રુપર હતાં. જો સેનામાં કોઇ શહીદ થાય છે તો તેનાથી સમગ્ર પરિવાર પ્રભાવિત થાય છે. મારા માટે આ એક ભાવનાત્મક મુદો છે.