બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુંબઈના હરિયાળીથી ભરેલા વિસ્તાર આરે કોલોનીમાં ઝાડ કાપવાના મુદ્દે વિરોધ કરનારી તમામ અરજીઓને ફગાવી દીધા બાદ શુક્રવારે ઝાડ કાપવાનું કામ શરૂ થયું હતું. વિરોધ કરનારા લોકોએ આરોપ લગાવ્યો કે તંત્રએ ઝાડ કાપવાનું શરૂ કર્યું છે. લોકોએ કહ્યું કે જે 2600થી વધારે ઝાડ કપાવવાના છે તેમાંથી 200 તો શુક્રવારે જ કપાઈ ગયા છે.
મુંબઈની આરે કોલોનીમાં લોકોનો વિરોધ
2600 જેટલા ઝાડ કપાવવાના હોઈ લોકોનો વિરોધ
1 જ દિવસમાં 200 ઝાડ કાપી દેવામાં આવ્યા
લોકોએ સડક પર આવીને નારે બાજી સાથે કર્યો વિરોધ
આદિત્ય ઠાકરે સહિત અનેક નેતાઓએ પણ કર્યો વિરોધ
100થી વધુ પ્રદર્શનકર્તાઓ પોલીસ કસ્ટડીમાં
#WATCH: People gathered in protest at #AareyForest against the felling of trees there, earlier tonight. They were later removed from spot by police. Bombay HC has dismissed all petitions against BMC decision which allowed felling of more than 2700 trees there, for metro car shed. pic.twitter.com/saT4MaHWsq
લોકોએ ઝાડ કાપવાને લઈને ભારે વિરોધ કર્યા બાદ થોડા સમયમાં પ્રદર્શનકારીઓ પણ પહોંચી ચૂક્યા હતા અને મેટ્રો રેલ સાઈટના મુદ્દે નારા ઉચ્ચાર્યા હતા. સોશ્યિલ મીડિયા પર ઝાડ કાપવાનો વીડિયો વાયરલ થયો. મુંબઈ મેટ્રો રેલવે નિગમ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી કે શું ખરેખર નિયોજિત મેટ્રો કાર શેડને માટે ઝાડ કાપવાનું શરૂ થયું છે? ઉલ્લેખનીય છે કે કોલોનીના 3 કીમી સુધીના વિસ્તારમાં પોલીસે કોઈને પણ આવવાની પરમિશન આપી નથી. 100થી વધારે લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. મીડિયાને પણ અંદર જવાની પરમિશન નથી.
ઝાડ કાપવાના વિરોધમાં લોકો આવ્યા સડક પર
પ્રસ્તાવિત કાર શેડ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે કારણ કે શુક્રવારે મોડી રાતે સેંકડો લોકો ઝાડ કાપવા અટકાવવા માટે સડક પર ઉતરી આવ્યા હતા. અનેક ટ્વીટ કરીને આ મુદ્દા પર દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાની પણ નિંદા કરવામાં આવી છે.
There’s no point for the Central government ministry of climate change to exist, or to speak about plastic pollution when the @MumbaiMetro3 senselessly destroys the Aarey vicinity. This ego battle taken up by Metro 3 is destroying the purpose of making it.
આમ આદમી પાર્ટીની નેતા પ્રીતિ મેનન શર્માએ કહ્યું છે કે 21 ઓક્ટોબરે થનારી વિધાનસભાની ચૂંટણીની વચ્ચે ઝાડ કાપવા એ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંધન છે. શિવસેનાના નેતા આદિત્યનાથ ઠાકરેએ પણ જંગલો કાપવાનો વિરોધ કર્યો છે. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે જ્યારે મુંબઈ મેટ્રોની તૃતીય પરિયોજનાના આધારે અને કોલોનીની આસપાસના ક્ષેત્રને નષ્ટ કરવામાં આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના જળવાયુ પરિવર્તન મંત્રાલયના અસ્તિત્વમાં આવવાને અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે વાત કરવાનો કોઈ મતલબ નથી. મેટ્રો દ્વારા તેને અહંકારની લડાઈ બનાવવા કેન્દ્ર સરકારના સ્પષ્ટ ઉદ્દેશ્યને નષ્ટ કરી રહી છે.
Ms DSouza, calm down pl & read Hon Bombay HC verdict at https://t.co/qhWsihscQLhttps://t.co/k5v8mu40sr. For a change pl understand other side of d story too & be properly informed. Rhetorics don't work always wen larger interests of d society r involved. https://t.co/4G1Ot9PJBJ
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્ક, ફિલ્મકાર ઓનિર સહિત અનેક રાજકીય વ્યક્તિઓએ પણ ઝાડ કાપવા માટે વિરોધમાં ટ્વિટ પોસ્ટ કરી છે. તેઓ લખી રહ્યા છે કે ઝાડ કાપવાના કારણે આરે કોલોની બર્બાદ થઈ જશે.