વેલેન્ટાઈન ડે પર સંસ્કૃતિના નામે કેટલીક સંસ્થા દ્વારા આ દિવસની ઉજવણીનો વિરોધ કરવામાં આવે છે પરંતુ ક્યારેક આવી સંસ્થાના નામે અમુક તત્વો રંજાડ અને રોફ જમાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો હરિયાણાના ફરિદાબાદમાં સામે આવ્યો છે.
૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે દિવસને ભારતીય સંસ્કૃતી પ્રમાણે કોઈ મહત્વ નથી કેમકે આ વિદેશીમાં આ પ્રકારે વેલેન્ટાઈન ડેની ઉજવણી જોરશોરથી કરવામાં આવતી હોય છે. ત્યારે હરિયાણાના ફરિદાબાદમાં કેટલાક લોકો દ્વારા પાર્કમાં બેસેલા પતી-પત્નીને માર મારવામાં આવ્યો હતો. અને માર મારનારા લોકો બજરંગ દળ સંસ્થા સાથે જોડાયેલા હોવાનુ જણાવી રહ્યા હતા. જો કે ઘટના બાદ બજરંગદળના કથિત કાર્યકરો હોવાનું જાણવા મળતા પાર્કમાં હાજર બજરંગ દળના કાર્યકરોએ આ કથિત કાર્યકરોને માર માર્યો હતો. જો કે ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ આ સમગ્ર બનાવનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
#फरीदाबाद में वैलेंटाइन-डे के नाम पर कुछ युवकों ने पार्क में बैठे दंपती को कपल समझ पीट दिया,
उसके बाद काफी हंगामा हो गया,इससे गुस्साए लोगों ने पीटने वाले युवकों की भी पिटाई कर दी। भगवा कपड़े पार्कों में घूम रहे लोग खुद को बजरंग दल फोर्स के कार्यकर्ता बता रहे थे। pic.twitter.com/SLevwlWBAf
વેલેન્ટાઈન દિવસની દુનિયામાં સૌ કોઈ ઉજવણી કરી રહ્યા હોય છે. ત્યારે આ વિદેશી સંસ્કૃતી ભારતની ન હોવાથી દેશમાં કેટલીક સંસ્થા દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે. અને આ વિરોધમાં કેટલાક કપલનો ભોગ બનતો હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનામાં કેટલીક સંસ્થાઓના નામ પણ જોડાતા હોય છે. કે તે લોકો “આ-આપણી-સંસ્કૃતિ નથી”ની આડમાં આ પ્રકારની પ્રવૃતી-કાર્યક્રમ કરતા હોય છે.
શુ હતો સમગ્ર મામલો જાણીએ…
હરિયાણાના ફરિદાબાદની ઘટનાની વાત કરીએ તો, વેલેન્ટાઈન દિવસે પતી અને પત્ની પાર્કમાં શાંતીથી સમય પસાર કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક આવારા તત્વો તેમની પાસે પહોચી મારપીટ કરી હતી. ઉલ્લેખનીય છે કે મારમારનારા લોકો પોતાને બજરંગદળના કાર્યકર્તા હોવાનું જણાવી રહ્યા હતા. પતી-પત્નીની મારપીટ જોઈ પાર્કમાં અન્ય લોકો તેમની મદદે આવ્યા હતા અને ખબર પડી હતી કે આ લોકો તો કથિત બજરંગ દળના કાર્યકરો છે. જે બાદ આ કથિત કાર્યકરતાઓ જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા.
પોલીસે કહ્યું ફરિયાદ મળશે તો કાર્યવાહી કરીશું
આ ઘટનાને લઈને પોલીસે કહ્યુ હતુ કે, સામે આવેલા વીડિયોમાં તમે વ્યવસ્થિત જોઈ શકો છો કે કથિત બજરંગ દળના કાર્યકરોને ગુસ્સે ભરેલું ટોળુ માર મારી રહ્યા છે. તેમજ તેમણે વધુમાં કહ્યુ કે આ વીડિયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ છે ઘટના અંગે. જ્યારે મીડિયા સાથેની વાતચિતમાં તેમણે કહ્યુ કે જ્યારે કોઈ પાર્કમાં બેસીને કોઈ અશ્લીલ કૃત્ય ન કરતુ હોય તેવા સમયે તેમને મારવાનો કોઈ અધિકાર નથી. આ ઉપરાંત તેમણે ફરિયાદને લઈને કહ્યુ હતુ કે જો પોલીસને આ અંગે ફરિયાદ મળશે તો દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.