અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, પૂરપાટ ઝડપે જઈ રહેલી BRTS બસ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા તેવું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.
BRTS બસે એક્ટીવા ચાલકને ટક્કર મારી
સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ BRTS બસ ચાલકની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તા પાસે અકસ્માત
અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, પૂરપાટ ઝડપે જઈ રહેલી BRTS બસ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારlતા એક્ટિવા ચાલકની ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે બાદ BRTS બસ ચાલકની અટકાયત કરવામાં આવી હતી..
શાસ્ત્રીનગરમાં BRTS એ એક્ટીવા ચાલકને ટક્કર મારી
વહેલી સવાર શહેરમાં અકસ્માતની ઘટના સ્થળે સામે આવી, અમદાવાદની જેમાં ડેપોમાંથી નીકળેલી BRTS બસે વહેલી સવારે શહેરના નાગરિકનો ભોગ લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે BRTSની ઝડપ વધુ હોવાથી બસ ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
એક્ટીવા ચાલક જેલાભાઇ રબારીનું ઘટના સ્થળે મોત
બસે સર્જેલા આ અકસ્માતમાં 45 વર્ષી જેલાભાઇ રબારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન કરી બસ ચાલક સામે કડક પગલા લેવા તેવી માંગ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો
મૃતકના પરિવારજનોને પોલીસે સમજાવ્યા
જો કે બાદમાં પોલીસની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને બાદમાં મૃતદેહને મોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે BRTSના બસ ડ્રાઈવરને હાજર કરવાની માંગ કરતા ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
BRTS એ ફુલ સ્પીડમાં ટર્ન લેતા એક્ટિવા ચાલક ફંગોળાયો
BRTS બસ ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો ઘટના અંગે પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે BRTS બસે ફુલ સ્પીડમાં ટર્ન લેતા એક્ટિવા ચાલક ફંગોળાયો હતો. જો કે ત્યાંથી પસાર થતા ડોક્ટરે એક્ટિવા ચાલકનું પંમ્પિંગ કર્યું પરતું તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નિપજતા સ્થાનિકો રોષ ભરાયા હતા અને ઘટનાની જાણ તુરંત જ પોલીસને કરી હતી જેને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જે બાદ પરિવારજનોનો સંપર્ક કરાયો હતો જેમાં પરિવારજનો હૈયાફાટ રૂદન સાથે ન્યાયીક તપાસની માંગ કરી હતી અને મૃતદેહનો અસ્વીકર કરતા પોલીસની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો જે બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.