મહારાષ્ટ્ર FDA મિનિસ્ટર રાજેન્દ્ર શીંગણેએ શુક્રવારે કહ્યું હતું કે જો પતંજલિ કંપનીએ કોરોનીલ દવા કોરોના મટાડે છે એવો પ્રચાર કરીને સામાન્ય લોકોમાં ભ્રમ અને ગૂંચવણ ફેલાવી હશે તો કંપની સામે કડક પગલાં લેવામાં આવશે.
નોંધનીય છે કે 23 જૂને પતંજલિએ કોરોનીલ અને સ્વસારી નામની દવા લોન્ચ કરીને એવો દાવો કર્યો હતો કે આ દવાનો હરિદ્વારના પતંજલિ યોગપીઠમાં રહેલા કોરોનાના દર્દીઓ ઉપર ટ્રાયલ કરવામાં આવતા 100% સકારાત્મક પરિણામો મળ્યા હતા. આ સમાચાર વાયરલ થતા આયુષ મંત્રાલયે આ અહેવાલો તપાસીને નિવેદન આપ્યું કે સરકાર આ પ્રકારના પરિણામોથી અજાણ છે અને તેઓ આ પુરાવા અને કોરોનીલની સ્થિતિ અંગે જલ્દી જ નિર્ણય લઇ લેશે.
આ મુદ્દે સોમવારે પતંજલિના CEO આચાર્ય બાલકૃષ્ણએ નિવેદન આપીને કોરોનીલથી સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે તેમણે તુલસી, ગિલોય અને અશ્વગંધાનું મિશ્રણ તૈયાર કરીને તેને ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન દર્દીઓને આપ્યું હતું અને તે દર્દીઓ સાજા થઇ ગયા હતા.
અમે કોરોનાની દવા શોધી છે એવો અમારો દાવો નથી પણ અમારી દવા લીધેલા તમામ દર્દીઓ કોરોના મુક્ત થઇ ગયા હતા. જો આયુષ મંત્રાલય આદેશ આપે તો અમે ફરી એક વાર ક્લિનિકલ ટ્રાયલ કરાવવા માટે તૈયાર છીએ. આ નિવેદન બાદ આયુષ મંત્રાલયે કોરોનીલને કોરોનાની દવા તરીકે નહીં પણ એક સામાન્ય દવા તરીકે વેચવાની પરવાનગી આપી છે.
જો કે મહારાષ્ટ્રમાં આ દવાને 25 જૂને હોમ મિનિસ્ટરે ટ્વીટ કરીને કહ્યું હતું કે જયપુરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નક્કી કરશે કે કોરોનીલના ટેસ્ટ સાચા હતા કે નહીં. પતંજલિને ચેતવણી આપવામાં આવે છે કે મહારાષ્ટ્ર લોકોને ગેરમાર્ગે દોરે તેવી દવાના વેચાણની પરવાનગી નહીં આપે.
The National Institute of Medical Sciences, Jaipur will find out whether clinical trials of @PypAyurved's 'Coronil' were done at all. An abundant warning to @yogrishiramdev that Maharashtra won't allow sale of spurious medicines. #MaharashtraGovtCares#NoPlayingWithLives
અને હવે મહારાષ્ટ્ર FDA મિનિસ્ટર રાજેન્દ્ર શીંગણેએ શુક્રવારે કહ્યું હતું કે જો પતંજલિ કંપનીએ કોરોનીલ દવા કોરોના મટાડે છે એવો પ્રચાર કરીને સામાન્ય લોકોમાં ભ્રમ અને ગૂંચવણ ફેલાવી હશે તો કંપની સામે કડક પગલાં લેવામાં આવશે.
ભારતમાં કોરોનાના 6 લાખ 25 હજારથી વધુ કેસ છે જયારે 3 લાખ 79 હજાર લોકો સાજા થઇ ગયા છે જયારે 18000થી વધારે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે.