વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને કેબિનેટની કમિટી ઓન સિક્યોરિટીની મળી બેઠક. ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહીત વરિષ્ઠ ઉપસ્થિત.દુર્ઘટના સહિતના મુદ્દા પર ચર્ચા
CDS રાવતના નિધનથી દેશ શોક સંતપ્ત
વડા પ્રધાન મોદીના નિવાસ સ્થાને બેઠક
અમિત શાહ,રાજનાથ સિંહ બેઠકમાં ઉપસ્થિત
દેશની સુરક્ષામાં રહેલી ત્રણેય પાંખ ભૂમિ સેના,વાયુસેના અને નૌસેનાનાં વડા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવત (CDS) સહીત 13 સેનાનીઓના હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોતથી દેશ સ્તબ્ધ છે. ત્યારે વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને કેબિનેટની કમિટી ઓન સિક્યોરિટીની મળી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ ઉપસ્થિત છે. હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત મામલે આ બેઠકમાં ચર્ચા થશે ઉપરાંત દુર્ઘટનામાં શહીદ તમામના પાર્થિવ દેહ દિલહી લાવવા સાથે બાકીની તૈયારીઓને અંતિમ ઓપ માટે પણ ચર્ચા થશે.
તમિલનાડુના કૂન્નુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત શહીદ થતા દેશભરમાં શોકની લહેર દોડી ગઈ છે. જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ દુર્ઘટનામાં મોત થયું છે. હેલિકોપ્ટરમાં સવાર 14 માંથી 13 લોકોના મોત થયા છે. ફક્ત એક વ્યક્તિ જીવિત બચ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
દૂર્ઘટનાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરતા કહ્યું કે, હેલિકોપ્ટર દૂર્ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તે જાણીને અત્યંત દુખી છું. હું મારા કર્તવ્યનું પાલન કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સાથી નાગરિકોની સાથે જોડાઉ છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, CDS બિપિન રાવતના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કરતા કહ્યું- જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાજીના અકાળે અવસાનથી હું આઘાત અને વ્યથિત છું. દેશે તેનો એક બહાદુર પુત્ર ગુમાવ્યો છે.
PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં આપણા જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને બીજા જવાનોના મોતના સમાચાર જાણીને અત્યંત દુખ થયું. આ બધાએ ખૂબ ખંતથી ભારતની સેવા કરી. તેમના પરિવારને ભગવાન દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
અમિત શાહે શોક વ્યક્ત કર્યો
અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશ માટે ખૂબ જ દુખનો દિવસ છે કારણે આપણે CDS જનરલ બિપિન રાવતને એક દૂર્ઘટનામાં ગુમાવી દીધા છે. તેઓ સૌથી બહાદૂર સૈનિકો પૈકીના એક હતા, જેમણે આજીવન માતૃભૂમિની સેવા કરી.
ઈન્ડીયન એરફોર્સે સત્તાવાર રીતે ટ્વિટ કરીને જનરલ બિપિન રાવતના મોતની જાહેરાત કરી હતી.
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો જેમાં સવાર 14 લોકોમોંથી 13 ના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ જીવિત બચી ગયો છે.
હેલિકોપ્ટરમાં કોણ સવાર હતું?
CDS બિપીન રાવત
શ્રીમતિ મધુલિકા રાવત, બિપીન રાવતના પત્ની
બ્રિગેડિયર એલ.એસ. લિડ્ડર
લેફ્ટિનેંટ કર્નલ હરજિંદરસિંહ
નાયક ગુરસેવકસિંહ
નાયક જિતેન્દ્રકુમાર
લાંસ નાયક વિવેક કુમાર
લાંસ નાયક બી.સાઈ તેજા
હવાલદાર સતપાલ
કોણ હતા બિપિન રાવત
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત (સીડીએસ બિપિન રાવત)એ ભારતીય સેનાની સેવામાં લાંબો સમય વિતાવ્યો છે, તેઓ ઊંચાઈ પર લડવામાં નિષ્ણાંત રહ્યાં છે
બિપીન રાવત આર્મીમાં ઉંચાઈની લડાઈ અને બળવાખોરી વિરોધી કામગીરીના નિષ્ણાંત તરીકે ઓળખાય છે.
2016માં ઉરીમાં સૈન્ય શિબિર પર થયેલા આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં આંતકવાદી શિબિરોને નષ્ટ કરવા માટે આવેલી સર્જીકલ સ્ટ્રાઈક આર્મી ચીફ જનરલ બિપિન રાવતની આગેવાનીમાં કરવામાં આવી હતી
આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચાઈના બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય વિતાવ્યો છે.