હાલ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છે. જેના પગલે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. આ અગાઉ અમદાવાદમાં 2 દિવસનું કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ગુજરાતમાં ફરી લોકડાઉનની અફવા ચાલી રહી છે ત્યારે આ મામલે રાજ્યના ગૃહ વિભાગના ACS પંકજકુમારે સ્પષ્ટતા કરી છે. લોકડાઉન કરવા અંગે સરકારનો કોઈ વિચાર નથી.
સોશિયલ મીડિયામાં ગુજરાતમાં ફરી લોકડાઉનની અફવા
લોકડાઉન કરવા અંગે સરકારનો કોઈ વિચાર નથીઃ પંકજકુમાર
ગુજરાતમાં લોકડાઉન નહીં થાયઃ CM રૂપાણી
કોરોનાના વધતા કેસને લઇને મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાનું વિચારી રહી છે. તો ગુજરાતમાં પણ વધતા કોરોનાના સંક્રમણના પગલે ચાર મોટા નગરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી લોકડાઉનના સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ બાદ સરકારે સ્પષ્ટતા કરી છે. ગુજરાતમાં ફરી લોકડાઉનની વાત અફવા છે. આ અંગે ખુદ રાજ્યના ગૃહ વિભાગના ACS પંકજકુમારની સ્પષ્ટતા કરી છે.
લોકડાઉન અંગે કોઇ વિચારણા નહીંઃ ACS પંકજકુમાર
પંકજકુમારે કહ્યું કે, લોકડાઉન અંગે કોઇ વિચારણા નહીં. રાજ્યના 4 મેગા સિટીમાં રાત્રિ કર્ફ્યુ લાગુ છે. લોકડાઉનની બાબત અંગે કોઇ વિચારણા નથી. લોકો સોશિયલ મીડિયાની અફવાથી ગેરમાર્ગે ન દોરાય.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં લોકડાઉન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન નહીં થાય.