HDFC બેંકે તેની તમામ લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા)ના વધારાની જાહેરાત બાદ બેંકે આ નિર્ણય લીધો છે.
HDFCએ તમામ લોનના વ્યાજદરમાં કર્યો વધારો
બેન્કે 5-10 બેસિસિ પોઈન્ટ્સનો કર્યો વધારો
RBI દ્વારા રેપો રેટમાં વધારાની જાહેરાત બાદ લીધો નિર્ણય
દેશની નંબર વન ખાનગી બેંક એચડીએફસી બેંકે તેની તમામ પ્રકારની લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.
ક્યારથી લાગુ થશે નવા વ્યાજદર?
HDFC બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ટ લેન્ડિંગ રેટ (MCLR)માં 5-10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારો આજથી એટલે કે 8 ઓગસ્ટ 2022થી તાત્કાલિક અસરથી લાગુ થશે.
RBI દ્વારા બેસિસ પોઈન્ટમાં વધારો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ (0.50 ટકા)ના વધારાની જાહેરાત બાદ બેંકે આ નિર્ણય લીધો છે. ઓગસ્ટમાં મળેલી RBIની MPCની બેઠકમાં મોંઘવારી પર અંકુશ લાવવાના હેતુથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રેપો રેટમાં સતત ત્રીજી વખત વધારો
સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવાર, 5 ઓગસ્ટના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અસરકારક રેપો રેટ વધીને 5.40 ટકા થઈ ગયો છે. આરબીઆઈએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે.