અમરેલીના સાવર કુંડલામાં એક હિચકારી ઘટના. અજાણ્યા બાઈક સવારો એ બે રાહદારી મહિલાઓ પર એસીડ એટેક કરતા ભારે ચકચાર મચી ગઈ છે. શા માટે એસીડ એટેક કરવામાં આવ્યો ?
સાવર કુંડલા રાહદારી બે મહિલાઓ પર 'એસીડ એટેક'
અજાણ્યા બાઈક ચાલક એસીડ ફેંકી ફરાર, એક સગર્ભા
એટેકથી ભારે તર્ક વિતર્ક, દાઝેલી મહિલાઓ સારવારમાં
અમરેલીના સાવર કુંડલામાં એક હિચકારી ઘટના ઘટી છે. જેમાં રાહદારી એવી બે મહિલાઓ પર એસીડ એટેક થયો છે. અજાણ્યા બાઈક સવારો એ બે રાહદારી મહિલાઓ પર એસીડ એટેક કરતા ભારે ચકચાર મચી ગઈ છે. કોણ હતા આ શખ્સો અને શા માટે એસીડ એટેક કરવામાં આવ્યો છે તેને લઈને ભારે તર્ક વિતર્ક શરુ થયા છે.
ઘટનાની વિગત પ્રમાણે અમરેલી જીલ્લાના સાવર કુંડલામા બે રાહદારી મહિલાઓ જઈ રહીં હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકો તેના પર એસીડ ફેંકી ફરાર થઇ ગયા હતા. સારા જાહેર આ ઘટના બનતા રાહદારીઓનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. બે માંથી એક મહિલા ગર્ભવતી હોવાની પ્રાથમિક માહિતી છે. રસ્તા પર એકત્રિત થયેલા રાહદારીઓએ તુરંત જ 108 બોલાવી બંને મહિલાઓને હોસ્પિટલ પહોચાડવા તજવીજ કરી હતી. નાના એવા સવાર કુંડલામાં વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે ભારે ચર્ચા થઇ રહી છે.
ગુજરાતમાં આવી રીતે ખુલે આમ એસીડ લઈને ફરવા પર પ્રતિબંધ છે.પરંતુ કોઈ પણ જગ્યાએથી ખરીદાયેલા આ એસીડનો આવો દુરુપયોગ થશે તેવી તો કલ્પના પણ ક્યાંથી હોય ? હાલ તો સ્થાનિક કક્ષાએ આ ઘટનાની ચકચાર વધુ ચાલી રહી છે. શક્ય છે રસ્તા પરના CCTV ચકાસવામાં આવશે ત્યારે, બાઈક અને હુમલાખોરો અંગે વધુ વિગત બહાર આવી શકે છે. અને મહિલાઓ પર ફેંકાયેલા એસીડ અંગેના ઈરાદાઓ પણ જાહેર થઇ શકે છે. સવાલ હુમલાખોર કોણ હતા અને ક્યા કારણો સર હુમલો કરાયો હતો. એ છે