ભારતમાં વિવિધ સ્થળોએ એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે. જેમાંથી આજે પહેલી એરસ્ટ્રીપનું ઉદ્ઘાટન રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ ભારતીય વાયુ સેનાના વિમાનો માટે નેશનલ હાઇવે 925 પર સટ્ટા- ગંધવ ખાંડ પર એક ઇમરજન્સી લેન્ડિંગ પટ્ટીનું ઉદ્ઘાટન કર્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરીયા ભારતીય વાયુ સેનાનાં C-130 J સુપર હરક્યુલિસ વિમાન માં સવાર થઈને રાજસ્થાનના બાડ્મેર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર પ્રદર્શન દરમિયાન ઉતર્યા હતા.
આઝાદીનો 'અમૃત મહોત્સવ'
ઉદ્ઘાટન દરમિયાન સંરક્ષણમંત્રી બોલ્યા હતા કે,''આજે આપનો દેશ પોતાની આઝાદીનો 'અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે. 1971ના વિજય નું સ્વર્ણિમ વર્ષ પણ ઉજવી રહ્યા છીએ. આ સાથે જ ઉત્તરલાઈ, જ્યાં અમે હાજર રહ્યા હતા. આ સ્વયં 1971 ના વિજયના સાક્ષી રહ્યા હતા. એવામાં ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનું નિર્માણ મનમાં ઉત્સાહ ઉત્પન્ન કરે છે અને સુરક્ષા પ્રત્યે વિશ્વાસ પણ જન્માવે છે એવામાં માટે આજે આપણાં બધા માટે મહત્વનો દિવસ છે.
બાડમેર હાઇવે પર થતી એરસ્ટ્રીપની શરૂઆત
રાજસ્થાનના જાલૌરમાં ગુરુવારે બાડમેર હાઇવે પર સ્પેશ્યલ એરસ્ટ્રીપની શરૂઆત થઈ હતી. પાકિસ્તાનની સીમાને અડીને આવતા સુખોઈ અને જગુઆર જેવા લડાકુ વિમાનોએ અહીં પોતાનો દમ દાખવ્યો હતો અને અહીં હાઇવે પર વાયુસેના દ્વારા લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
#WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u
રક્ષામંત્રી રાજનાથસિંહ સ્પેશિયલ વિમાનથી એરસ્ટ્રિપ પર આવ્યા
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને રક્ષા મંત્રી રાજનાથસિંહની હાજરીમાં આની શરૂઆત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે બંનં મંત્રીઓ વાયુસેનાના સ્પેશિયલ વિમાનથી આજ એરસ્ટ્રિપ પર આવ્યા હતા.
પાકિસ્તાન બોર્ડરથી 4 કિમી દૂર
ઉલ્લેખનીય છે કે આ એરસ્ટ્રિપ પાકિસ્તાન બોર્ડરથી માત્ર 4 કિમી દૂર છે. જેથી ભવિષ્યમાં આ એરસ્ટ્રિપ આપણાને ઘણી કામ લાગી શકે છે. ઉપંરાત અહ્યા ચાર એરક્રાફ્ટ પાર્ક કરવાની પણ સુવિધાઓ છે.