આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) ને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલા આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ તરીકે હવે કલરાજ મિશ્રાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતનાં રાજ્યપાલ પદે કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલ રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાયમાન આપવામાં આવ્યું હતું.
ઓમ પ્રકાશ કોહલી (Om Prakash Kohli) નિવૃત્ત થતાં ગુજરાતના નવા રાજ્યપાલની નિમણુંક કરી લેવામાં આવી છે. આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) ને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ પહેલા આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ તરીકે હવે કલરાજ મિશ્રાની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતનાં રાજ્યપાલ પદે કાર્યકાળ પૂર્ણ કરી ચૂકેલ રાજયપાલ ઓ.પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં વિદાયમાન આપવામાં આવ્યું હતું.
(indiatvnews)
ઓ પી કોહલીનો કાર્યકાળ સોમવારનાં રોજ એટલે કે આજનાં દિવસે પૂર્ણ થયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરીને સન્માનિત કર્યાં હતા. વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, ઓ પી કોહલીએ હંમેશા પિતૃ વાત્સલ્યભાવ દાખવી સરકારનું માર્ગદર્શન કર્યુ છે. ત્યારે વળતી પ્રતિક્રિયામાં રાજ્યપાલે સન્માન પ્રત્યુતરમાં કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની વૈષ્ણવજનની નિ:સ્પૃહ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રહેવાની ભાવના વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે. ઓ પી કોહલીએ રાજય મંત્રીમંડળ, વિપક્ષ, તેમજ રાજય સરકારનાં વિભાગોના વડાઓ સૌનો પોતાને મળેલા સહયોગ અંગેનો ઋણ સ્વીકાર કર્યો હતો.
Acharya Devvrat, Governor of Himachal Pradesh is transferred and appointed as Governor of Gujarat. Kalraj Mishra appointed the Governor of Himachal Pradesh. pic.twitter.com/JeGu1C4gO6
18 જાન્યુઆરી,1959નાં રોજ તેમનો જન્મ થયો છે. તેઓ સમાલખાના હરિયાણાના રહેવાસી છે. આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હરિયાણાના કુરૂક્ષેત્રમાં તેઓ આચાર્ય રહ્યાં છે. આચાર્ય દેવવ્રત તેમની પ્રામાણિકતા, ડિસિપ્લીન માટે ખૂબ જાણીતા છે. હિમાચલ પ્રદેશ સ્ટેટ યુનિ.ના વાઇસ ચાનેસ્લર પણ તેઓ રહી ચુક્યાં છે. બેટી બચાવો-બેટી પઢાવો કેમ્પેઇન પણ આચાર્યએ ચલાવ્યું હતું.
ઓગસ્ટ 2015થી તેઓ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ છે. સૌ પ્રથમ તેઓ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના સંચાલક હતાં. હિમાચલ પ્રદેશની સ્ટેટ યુનિવર્સિટીઓનાં ચાન્સેલર પણ હતા. 1980માં તેમણે પેટ્રોન, ગાર્ડિયન અને વાર્ડન તરીકે સેવા આપી હતી. 1984માં પંજાબ યુનિવર્સિટીમાંથી હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. સ્ત્રી ભ્રૂણહત્યા અને "બેટી પઢાઓ બેટી બચાવો" અભિયાન સાથે જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા યુરોપ અને દક્ષિણપૂર્વ એશિયાની મુસાફરી કરી છે.