જો તમે ભોલેનાથના ભક્ત છો તો તમે રાજસ્થાનની ટ્રિપમાં આ મંદિરના દર્શનનો લાભ લઈ શકો છો. માઉન્ટ આબુથી 11 કિમીના અંતરે અચલગઢની પહાડીઓમાં આ શિવજીનું વિશાળ મંદિર છે જ્યાં તેમના અંગૂઠાની પૂજાનું માહાત્મ્ય છે.
અચલગઢની પહાડીઓમાં છે શિવજીનું ખાસ મંદિર
આ મંદિરમાં થાય છે ભોલેનાથના અંગૂઠાની પૂજા
માઉન્ટ આબુથી 11 કિમીના અંતરે આવેલું છે મંદિર
ચમત્કારોથી ભરેલું છે આ અચલેશ્વર મંદિર
અચલગઢની પહાડીઓની પાસેના કિલ્લાની પાસે જ અચલેશ્વર મંદિરમાં ભગવાન શિવના અંગૂઠાની પૂજા કરાય છે. આ પહેલી જગ્યા છે જ્યાં ભગવાનની પ્રતિમા કે શિવલિંગની પૂજા ન થઈને તેમના જમણા પગના અંગૂઠાની પૂજા કરાય છે.
શું છે માન્યતા
એવી માન્યતા છે કે અહીંના પર્વત ભગવાન શિવના અંગૂઠાના કારણે ટક્યા છે. જો શિવજીનો અંગૂંઠો ન હોત તો અહીંના પર્વત નષ્ટ થઈ જતા. ભગવાન શિવના અંગૂઠાને લઈને અનેક ચમત્કાર અહીં થાય છે.
અંગૂઠાની નીચેના ખાડામાં ક્યારેય નથી ભરાતું પાણી
ભગવાન શિવના અંગૂઠાની નીચે પ્રાકૃતિક રીતે એક ખાડો બનેલો છે. માન્યતા છે કે તેમાં કેટલું પણ પાણી ભરાય પણ તે ટકતું નથી. શિવજી પર ચઢાવાયેલું જળ પણ અહીં જોવા મળતું નથી, આ પાણી ક્યાં જાય છે તે કોઈ જાણી શક્યું નથી.
જ્યારે શિવે પર્વતને હલવાથી રોક્યો હતો
પૌરાણિક માન્યતા છે કે એક વાર અર્બુદ પર્વત પરના નંદીવર્ધન હલવા લાગ્યા. હિમાલય પર તપસ્યા કરી રહેલા ભગવાન શિવની તપસ્યામાં મુશ્કેલી આવી અને સાથે આ પર્વત પર ભગવાન શિવના નંદી પણ વિરાજમાન હતા. નંદીને બચાવવા માટે ભગવાન શિવે હિમાલયછી જ પોતાના અંગૂંઠાને અર્બુદ પર્વત સુધી પહોંચાડી દીધો. અને પર્વતને હલતો રોકી લીધો. આ કારણ છે કે ભગવાન શિવનો આ અંગૂઠો આ પર્વતને ઉઠાવી રહ્યો છે.
ચંપાનું વિશાળ ઝાડ છે પ્રાચીનતાનું પ્રતીક
આ મંદિરમાં ચંપાનું મોટું ઝાડ છે આ ઝાડને જોઈને આ મંદિરની પ્રાચીનતાને પણ જાણી શકાય છે. મંદિરની ડાબી બાજુએ 2 કલાત્મક સ્તંભ પર ધર્મકાંટો છે. જેની શિલ્પ કળા પણ સુંદર અને અદભૂત છે.