છોટાઉદેપુરના નસવાડી તાલુકાના લિંડા સ્કૂલના આચાર્ય મેરામણ પીઠયાની છરાના ઘા મારીને ભરત પીઠયા નામના શિક્ષકે હત્યા કરી. પત્ની કાજલ અને દોઢ વર્ષની પુત્રી ઝાહલ પણ ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલા ખોર ભરત શિક્ષક હાલ ફરાર છે.
લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યા
નસવાડીમાં શિક્ષક પર આચાર્યની હત્યાનો આરોપ
આચાર્યની હત્યાનું કારણ અંકબધ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની વહેલી સવારે હત્યા થઈ હતી. પત્ની અને પુત્રી પણ થઈ ઇજાગ્રસ્ત થયા છે. મેરામણ પીઠયાની હત્યામાં પોલીસની પ્રાથમિક તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ રાત્રે ભોજન લીધા બાદ બાંકડે બેસીને મરનાર મહેરામણ જોડે વાતો પણ કરી હતી અને ત્યારબાદ બન્ને સોડા પીવા ગયા હતા.
હત્યારો શિક્ષક ભરત છરા વડે મેરામણ અને તેની પત્ની પર તૂટી પડ્યો
પરંતુ જ્યારે વહેલી સવારે જ્યારે કાજલબેન(આચાર્યના પત્ની) લોહીલુહાણ હાલતમાં બુમાં બુમ કરી 'બચાવો બચાવો' ત્યારે સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ત્યારે આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર પણ ધાર ધાર છરી વડે હુમલો થયો હતો. હત્યારો શિક્ષક ભરત છરા વડે મેરામણ અને તેની પત્ની પર તૂટી પડ્યો હતો અને ગળા, છાતી અને માથાના ભાગે છરાના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. શિક્ષક ભરત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મારા અને દીકરી પણ પણ હુમલો કર્યો: મૃતકની પત્ની
આ ઉપરાંત મેરામણની પત્ની અને દીકરી પર હુમલો કરતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. મરનાર મેરામણ લોહીલુહાણ હાલત ફર્શ પર હતા, જ્યારે કાજલ મેરામણ પત્ની અને દીકરી ઝાહલ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં નસવાડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકની પત્નીએ કહ્યું કે, મોટો છરો લઇ હત્યા કરી છે. મારા અને દીકરી પણ પણ હુમલો કર્યો છે.
બન્ને રામદેવ નગર નસવાડીમાં રહેતા હતા
મરનાર મેરામણે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના હતા. નસવાડી તાલુકાની લિંડા સ્કૂલમાં આચાર્યની ફરજ બજાવતા હતા અને ત્રણ વર્ષ અગાઉ લગ્ન કાજલબેન સાથે થયા હતા. લગ્ન બાદ હાલ દોઢ વર્ષની બાળકી ઝાહલ પણ થઈ હતી. જ્યારે મેરામણના કાકાના દીકરો ભરત પીઠયાને નસવાડી તાલુકાની કોલંબા પ્રા. શાળામાં વિદ્યાસહાયક તરીકે નોકરી લાગતા એ પણ નસવાડી રહેવા આવી ગયો હતો. બન્ને જણા એકબીજાના પાડોશી બન્યા, બન્ને રામદેવ નગર નસવાડીમાં રહેતા હતા.
હત્યારો નસવાડીની આજુબાજુ જ હોવાનું અનુમાન
આરોપી ભરત પીઠયાના 9 તારીખે લગ્ન છે. બધાને કંકોત્રી પણ આપી હતી. જે દિવસે હત્યા કરી એજ દિવસની હત્યારા ભરતએ સાંજે પાંચ વાગ્યાની બસની ટિકિટ જૂનાગઢ માટે દેવલિયાથી જૂનાગઢ જવા બુક કરાવી હતી. હત્યા કરીને ભાગનાર ભરતનું પાકીટ અને મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે. હત્યારો નસવાડીની આજુબાજુ જ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મરનાર મેરામણને પોસ્ટમોર્ટમ કર્યા બાદ જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો છે, જ્યારે પત્ની કાજલ અને દીકરી ઝાહલ સારવાર અર્થે બોડેલી દવાખાના દાખલ કરાયા છે. હત્યાનું કારણ હજુ અંકબધ જ છે.