અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ચમરસીમાએ પહોંચ્યો છે. મેઘાણીનગરમાં અસામાજીક તત્વોએ 20 દિવસની બાળકીની હત્યા કરી હતી. બુટલેગર સતિષ સહિતના શખ્સોએ ઘરમાં ઘૂસીને પરિવાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલા સાથે મારામારીમાં બાળકીને ભારે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયુ હતું.
અમદાવાદના મેઘાણીનગરમાં 20 દિવસની બાળકીની હત્યા મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ ક્રાઈમબ્રાંચે હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે લખન ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ છે.
મહત્વનુ છે કે, મેઘાણીનગર વિસ્તારમાં એક ઘરમાં બુટલેગર સતિષ અને તેના સાથીઓ હુમલો કર્યો હતો. આ દરમિયાન એક મહિલાને ઈજા થઈ હતી. 20 દિવસની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બાળકીનુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે 5 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી.
જે મામલે પોલીસે અત્યાર સુધી સતીષ હિતેશ અને લખનની ધરપકડ કરી છે. જો કે હજી સુધી આ હત્યા કેસમાં 2 આરોપીઓ ફરાર છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.