દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક બિલ્ડર અને તેના મિત્રને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ ડી-સ્ટાફની ઓફિસમાં ઊંધા લટકાવીને દંડા તેમજ પટ્ટા વડે માર માર્યો હોવાની ફરિયાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક બિલ્ડર અને તેના મિત્રને દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારીઓએ ડી-સ્ટાફની ઓફિસમાં ઊંધા લટકાવીને દંડા તેમજ પટ્ટા વડે માર માર્યો હોવાની ફરિયાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. બિલ્ડરના ઘરમાં ટોરેન્ટ પાવરના અધિકારીઓએ દરોડા પાડીને વીજચોરી પકડી હતી, જે ઘટનામાં બિલ્ડર અને તેના મિત્રએ ટોરેન્ટ પાવરના અધિકારી અને કર્મચારી સાથે મારામારી કરી હતી. મારામારીના આ કેસમાં પોલીસે બિલ્ડર અને તેના મિત્રની ધરપકડ કરી હતી.
ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી તિરુપિત સોસાયટીમાં રહેતા અને શાહપુર ટોરેન્ટ પાવર ખાતે એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવતા અરુણભાઇ નટવરલાલ પટેલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઇમરાન એહમદ મકસુદ એહમદ કાદરી (રહે. સોઢણ તલાવડી, દાણીલીમડા) અને રફીયુદ્દીન ઉર્ફે રફીક મયુદ્દીન શેખ વિરુદ્ધમાં મારામારી તેમજ ધમકી આપવાની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે બે દિવસ પહેલાં સવારના સાડા દસ વાગ્યાની આસપાસ અરુણભાઇ તથા ટોરેન્ટ પાવરમાં કામ કરતા સંજયભાઇ જગતાપ, મનીષભાઇ હાલારી, અલ્પેશકુમાર વણકર સહિત કેટલાક કર્મચારીઓ સાથે દાણીલીમડાની સોઢણ તલાવડી ખાતે વીજચોરીની તપાસ માટે નીકળ્યા હતા. અંદાિજત સાડા અગિયાર વાગ્યાની આસપાસ સુભાનપાર્કમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ઇમરાન એહમદ કાદરીના ઘરમાં તપાસ કરી હતી.
ઇમરાન એહમદના ઘરમાં તપાસ કરતાં વર્ષ ર૦૧પમાં વીજળીનું કનેક્શન કપાઇ ગયું હતું અને તે બિનઅધિકૃત રીતે વીજચોરી કરતો હતો. ટોરેન્ટ પાવરના અધિકારીઓએ બિનઅધિકૃત રીતે વીજચોરી કરવા પાછળનું કારણ પૂછતાં ઇમરાન એહમદ ઉશ્કેરાયો હતો અને બીભત્સ ગાળો બોલીને અરુણભાઇને બે- ત્રણ લાફા ઝીંકી દીધા હતા. ઇમરાન એહમદે અરુણભાઇને ધમકી આપી હતી કે જો મીટરને હાથ લગાવશો તો તલવારથી હાથ કાપી નાખીશ.
દરમિયાનમાં ઇમરાન એહમદનું ઉપરાણું લઇને રફીયુદ્દીન ઉર્ફે રફીક શેખે આવીને સંજયભાઇ જગતાપ સાથે મારામારી કરી હતી તેમજ સર્વિસબુકનો મેમો પણ ફાડી નાખ્યો હતો. ફરિયાદમાં એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે રફીયુદ્દીને પોતાનો મોબાઇલ તોડી નાખીને ટોરેન્ટના કર્મચારીઓ વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. મામલો વધુ ગરમાય નહી તે માટે અરુણભાઇ તેમના સ્ટાફને લઇ ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા અને સીધા દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસે અરુણભાઇની ફરિયાદના આધારે ઇમરાન એહમદ તેમજ રફીયુદ્દીન ઉર્ફે રફીક શેખ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.
અરુણભાઇએ ફરિયાદ કરતાંની સાથે જ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. વસાવા તથા તેમની ટીમે ઇમરાન એહમદ અને રફીયુદ્દીનની ધરપકડ કરી હતી અને મારતા મારતા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. ટોરેન્ટ પાવરના કર્મચારીઓ સાથે મારામારી કરવાના કેસમાં પીઆઇ વી.આર. વસાવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રફીકભાઇએ ઇમરાન એહમદ અને રફીયુદ્દીનને ફાઈબરના દંડા તેમજ પટ્ટા વડે બેરહેમીથી માર્યા હતા.
ગુરુવારે બન્ને વ્યકિતઓની ધરપકડ થઇ હતી. ત્યારબાદ પોલીસે તેમને જાહેરમાં અને પોલીસ સ્ટેશનમાં માર માર્યો હતો. મારામારી જેવી સામાન્ય ઘટનામાં પોલીસે બન્ને જણાને આખી રાત પોલીસ કસ્ટડીમાં રાખ્યા હતા અને કસ્ટોિડયલ ટોર્ચર કરીને માર માર્યો હતો. બીજા દિવસે પોલીસે બન્ને જણાને મેટ્રોપોિલટન કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યા હતા. જ્યાં ઇમરાન એહમદે પોલીસ પર આરોપ મૂકીને માર માર્યાે હોવાની ફરિયાદ કરી હતી અને પોલીસની મારનાં નિશાન બતાવ્યા હતા. મારનાં નિશાન જોતાંની સાથે જ મેિજસ્ટ્રેટે બન્ને જણાને સિવિલ હોસ્પિટલમાં તાત્કાિલક ટ્રીટમેન્ટ કરાવવા માટે લઇ જવાનો પોલીસને આદેશ કર્યો હતો અને ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ મેિજસ્ટ્રેટના ઘરે રજૂ કરવા જણાવ્યું હતું.
પોલીસે ઇમરાન એહમદ અને રફીયુદ્દીનની સારવાર કરાવીને મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કર્યા હતા, જ્યાં મેજિસ્ટ્રેટે બન્ને જણાના જામીન મંજૂર કર્યા હતા અને પોલીસની કામગીરીને વખોડી હતી. મેજિસ્ટ્રેટે ઇમરાન એહમદની પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા તેમજ અન્ય બે પોલીસ કર્મચારી વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મેજિસ્ટ્રેટે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત બે પોલીસ કર્મચારીઓને નોિટસ ઇશ્યૂ કરીને રિપોર્ટ લઇ હાજર થવા માટેનો પણ આદેશ કર્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યાે હતાે કે પોલીસ કર્મચારીઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશન કે જ્યાં સીસીટીવી કેમેરા હોતા નથી ત્યાં ઊંધા લટકાવીને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો.