વડોદરાની પ્રેરણાનો ગત 4થી નવેમ્બર 2020ના રોજ વહેલી સવારે વલસાડના રેલ્વે યાર્ડમાં ગુજરાત ક્વીનના કોચ D/12 મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રેરણા કેસમાં તપાસ 6 મહિનાથી અટકી
SITની ટીમ પણ કશું ના ઉકાળી શકી
પહેલા દુષ્કર્મ અને આપઘાતની ફરિયાદ નોંધાઇ
વડોદરા પ્રેરણા કેસને 6 મહિના થયા પણ તપાસ અધૂરી
વડોદરાની પ્રેરણાનો 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડના રેલ્વે યાર્ડમાં ગુજરાત ક્વીનના કોચ D/12 માં કથિત આત્મહત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. પરંતુ આજે 6 મહિનાઓ વીત્યા બાદ પણ નવસારીની દિકરીને ન્યાય મળ્યો નથી. ત્યારે પીડિતાની માતાએ વિભિન્ન પોલીસ ટીમો કાર્યરત હોવા છતાં કઈ તકલીફ છે કે હજી સુધી આરોપીઓ પકડી શકાતા નથી. પીડિતાની માતએ પ્રશઅનો ઉઠાવ્યો હતો કે, ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી ને.? આ સાથે જ દિકરીઓ સાથે અત્યાચાર કરનારને પકડીને જાહેરમાં ફાંસીના માચડે લટકાવવાની માંગણી પણ કરી છે.
ન્યાય માટે SITને કેસ સોંપાયો પણ તે કશુ ઉકાળી ન શકી
ઉલ્લેખનીય છે કે, વડોદરા પ્રેરણા કેસમાં રેલવે પોલીસ સાથે અમદાવાદ અને વડોદરાના ક્રાઈમ બ્રાંચ સાથે SITની રચના કરી આ કેસ સોંપવામાં આવ્યો હતો. પરંતુ આજે છ મહિના વીતી ગયા. આટલા મોટા-મોટા અફસરોની SITની ટીમ બની હતી, એમાં હજી કોઈ નિકાલ આવ્યો નથી. તો પ્રશ્ન એ છે કે પ્રેરણા ન્યાય મળશે કે નહીં મળે?' પ્રેરણા કેસને આજે છ મહિના થઈ ગયા પોલીસ આરોપીઓને પકડવાનું તો દૂર, ઓળખી પણ નથી શકી.
હર્ષ સંઘવીએ આશ્વાસન આપ્યું હતું કે જલદીથી ન્યાય મળશે
મહત્વનું છે કે, વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મમાં કેસ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પીડિતા પરિવારે ન્યાયની ગુહાર લગાવી હતી. જેના પગલે હર્ષ સંઘવીએ પીડિતાના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું કે તમારી દીકરીને જલદીથી જલદી ન્યાય મળશે.
FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું. ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા કેસ વધુ ગુંચવાયો હતો
પીડિતાના પરિવારે OASIS સંસ્થા સામે કર્યા હતા ગંભીર આક્ષેપ
પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે OASIS સંસ્થાએ યુવતી સાથે દુષ્કર્મની વાત છુપાવી હતી 3 નવેમ્બરે યુવતીએ સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહને પણ મેસેજ કર્યો હતો. જેને લઈને પોલીસે આ સમગ્ર મામલે સંસ્થીની બીજી ટ્રસ્ટી પ્રિતી નાયરની પૂછપરછ કરી હતી. સાથેજ તેમણે યુવતીની મદદ કેમ ન કરી તે પણ એક ગંભીર ઉઠી રહ્યા છે.
ઘટના શું હતી ?
પીડિતા 29 ઓક્ટોબર 2021ના રોજ OASIS સંસ્થામાં અભ્યાસ કરી પરત રૂમ પર જઇ રહી હતી. આ દરમિયાન સાંજના સમયે તેની સાઇકલને ટક્કર મારી રિક્ષાચાલક સહિત બે વ્યક્તિ બળજબરીથી તેને રિક્ષામાં બેસાડી વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીઓમાં ખેંચી ગયા હતા. ત્યાં બે શખસે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન એક બસચાલક આ મેદાનમાં બસ પાર્ક કરવા માટે આવ્યો હતો. તેણે પીડિતાને કપડાં ફાટેલી હાલતમાં જોઇ હતી. તેમજ ત્યાંથી બે યુવકને રિક્ષામાં ભાગી જતા જોયા હતા. જો કે, તેણે બે યુવકના ચહેરા જોયા ન હતા. ડ્રાઇવર પીડિતાની મદદે આવ્યો અને તેને મુખ્ય રોડ પર લઇ આવ્યો હતો. જ્યાં પીડિતાએ તેની સહેલીને ફોન કરીને બોલાવી હતી અને તેની સાથે જતી રહી હતી. 31 ઓક્ટોબર પછી યુવતી નવસારી અને 3 નવમ્બરે સુરત તથા ત્યાંથી વલસાડ ગઇ હતી, જ્યાં ગુજરાત ક્વીન એક્સપ્રેસના કોચ D-12માં તેનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
Vtv ના સળગતા સવાલો
- પ્રેરણાને ક્યારે મળશે ન્યાય?
- કાયદાના લાંબા હાથ કેમ પડી રહ્યા છે ટૂંકા?
- ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આશ્વાસનનું શું?
- પોલીસ કેમ નથી લેતી તપાસમાં રસ?
- SITની ટીમ ક્યારે પૂર્ણ કરશે તપાસ?
- ક્યારે કરવામાં આવશે આરોપીની ધરપકડ?
- ઓઆસીસ સંસ્થા સામે પણ શંકાની સોય?
- ઓઆસીસ સંસ્થાના કર્તાહર્તાની છે સંડોવણી?