હિન્દુ ધર્મમાં તુલસીનું અનેરું મહત્વ રહ્યું છે. તુલસીનું ન માત્ર ધાર્મિક મહત્વ છે પરંતુ આયુર્વેદીક દ્રષ્ટીએ પણ મહત્વ રહેલું છે. તુલસી સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. તુલસીને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.
મોટાભાગે દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય છે. હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ખૂહ મહત્વ રાખે છે. એ ઔષધીય ગુણોથી ભરેલી તુલસીનો છોડ સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે મહિલાઓના જીવનમાં કેવી રીતે પ્રભાવિત કરે છે.
કેમ ફાયદાકારક છે તુલસી
વાસ્તુ 10 દિશાઓ અને 9 ગ્રહો પર આધારિત છે. તુલસી બુધ ગ્રહને પ્રભાવિત કરે છે. આવું એટલા માટે કારણ કે માત્ર તુલસી અને ગંગાજળમાં બુધ ગ્રહ મળી આવે છે. મરકરી ટેમ્પ્રેચર કંટ્રોલ કરવાની સાથે વાતાવરણને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે.
કેટલા પ્રકારની હોય છે તુલસી?
રામ તુલસી (બ્રાઇટ ગ્રીનના પાન)
શ્યામ તુલસી (નાના ડાર્ક ગ્રીન કલરના પાન)
કાળી તુલસી (નાના ડાર્ક પાન)
સામાન્ય રીતે ઘરોમાં રામ અને શ્યામ તુલસી જોવા મળે છે, જેને ઉત્તર, ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂરિવમાં રાખવી જોઇએ,. તો બીજી બાજુ કાળી તુલસી ઔષધીય માટે ઉપયોગ કરવામાં આવે છે, જેને દક્ષિણ પશ્વિમ દિશામાં રાખવી યોગ્ય હોય છે.
તુલસી રાખવાની સાચી દિશા
તુલસીના ઝાડને લક્ષ્મી માતાના રૂપની સાથે વિષ્ણુને પણ ખૂબ સર્વપ્રિય છે. વાસ્તુ અનુસાર એને ઉત્તર, ઉત્તર પૂર્વસ દક્ષિણ પૂર્વમાં રાખો, આ ઉપરાંત તુલસીને ભૂલથી પણ પૂર્વ અને ઉત્તર પશ્વિમ દિશામાં રાખશો નહીં.
મહિલાઓ દરરોજ ચઢાવે પાણી
રવિવારનો દિવસ છોડીને મહિલાઓએ દરરોજ તુલસીને પાણી ચઢાવવું જોઇએ. એના ઘમાં સુખ સંપત્તિ, શાંતિ બનેલી રહે છે અને પૈસાની સમસ્યા પણ થતી નથી.
આવી રીતે ચઢાવો પાણી
તુલસીને જળ આપવા માટે કાંસાના લોટાનો ઉપયોગ કરો. મહિલાઓ સાંજના સમયે તુલસીની સામે દીવો જરૂરથી પ્રગટાવે. એનાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહેશે.
અહીંયા લગાવો તુલસી
તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર હોય છે એટલા માટે એને બેડરૂમમાં રાખશો નહીં, એનાથી પતિ પત્ની વચ્ચે પરેશાનીઓ આવી શકે છે.
અહીંયા લગાવો તુલસી
એને સનલાઇટની જરૂર હોય છે એટલા માટે એને ઘરની અંદર રાખવી જોઇએ. એને ખુલ્લા આંગણા અથવા ઘરની છત પર લગાવવી યોગ્ય હોય છે.