દરેક માણસના જીવનમાં કંઈકને કંઈકને પ્રોબ્લેમ હોય છે. બધાના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. આવતી મુશ્કેલીઓને જોઈ માણસ ગભરાઈ જાય છે અને ક્યારેક ન કરવાનું કરી બેસે છે. શું તમને લાગે છે કે તે પ્રોબ્લેમને તમારા મારવા વગર બીજી કોઈ રીતે દૂર ન કરી શકાય? જામને તેનું મૃત્યુ નિચ્ચિત છે તેવી રીતે દરેક દુઃખ દૂર કરવાનો પણ કોઈ ન કોઈ રસ્તો હોય જ છે. તમારે આ રસ્તો શોધવાનો છે.
ભારતીય પરંપરામાં વાસ્તુશાસ્ત્રને અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે. ભવનમાં ચોક્કસ સ્થાન ઉપર ચોક્કસ વસ્તુ રાખવામાં આવે તો ઘરમાં જે રહેનાર છે તેને પણ ફાયદો થાય છે અને તે રોગાદિથી બચી પણ શકે છે. રસોઈઘર શયનકક્ષ ભંડાર (સ્ટોર રૂમ) વગેરે નિશ્ચિત દિશામાં હોય તો તેની સકારાત્મક ઊર્જાની વ્યક્તિને નિશ્ચિત લાભ મળી શકે છે.
આજકાલ દોડધામવાળી જિંદગી અને કાર્યના પ્રેશરને કારણે લોકો વારંવાર માનસિક તણાવનો શિકાર બની જતાં હોય છે. તેનાથી મુક્તિ માટે અને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવો જોઈએ એટલું જ નહીં આ સ્થિતિમાં પણ વાસ્તુશાસ્ત્ર પણ તમને આ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ માટે જેને વારંવાર તણાવનો સામનો કરવો પડતો હોય છે એવી વ્યક્તિ જો ઘરમાં સાંજે પાંચ સુગંધિત અગરબત્તી ઘરના અલગ-અલગ સ્થાનોમાં રાખે તો સકારાત્મક વાતાવરણનો અનુભવ થશે અને હળવાશ અનુભાવશે. જો તમારા ઘરમાં ડિપ્રેશનનો કોઈ દર્દી હોય કે ન હોય અને પછી પણ તે ડિપ્રેશનમાં કોઈ આવી ન જાય તેને માટે દીવાલ દરવાજા અને બારીઓ પર ડાર્ક નહીં પણ હળવો રંગ કરાવો. જેને કારણે વ્યક્તિ ઘાટા રંગથી થનારી નિરસતાથી બચી શકે છે.
એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે કે ઘરમાં કરોળિયાનાં જાળા ન હોવા જોઈએ કેમ કે તે માનસિક તણાવનો વધારો કરે છે. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જો તમારા ઘરમાં કોઈ ડિપ્રેશનના દર્દી હોય તો રસોઈમાં કાળા રંગનો પથ્થર ન લગાવવો કેમ કે કાળો રંગ નિરાશા આપે છે. એક સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે ઘરમાં અભક્ષ્ય વસ્તુ કે પીણાંનું કદી પણ સેવન કરવું જોઈએ નહીં તેને કારણે પણ ડિપ્રેશનનાં વ્યક્તિને ભયાનક સપનાઓથી બચાવી શકાય છે..
ખાસ મહત્ત્વની વાત એ પણ છે કે કદી રાત્રે એંઠા વાસણ ન રાખવા. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાને વધારો મળે છે અને ડિપ્રેશનનાં રોગીઓ વધુ પરેશાન થઈ જાય છે. રસોઈમાં એક વાતની ખાસ કાળજી રાખવી જોઈએ કે પાણી અને રસોઈ ગેસ એક સીધી લાઈનમાં ન હોવી જોઈએ. તેને અલગ-અલગ રાખવી જોઈએ. આવું કરવાથી ગૃહક્લેશ નહીં થાય અને વાતાવરણ પણ સુખમય બની રહેશે..
જે ડિપ્રેશનમાં હોય તેણે અને સામાન્ય રીતે પણ સ્વસ્થ વ્યક્તિએ પણ સવારે 7.00 વાગ્યાથી પૂર્વે પૂજા-પાઠ કરવો જોઈએ અને શાસ્ત્રોમાં દર્શાવ્યું છે કે આ સમયમાં કરવામાં આવેલી પૂજા વધુમાં વધુ સકારાત્મક પરિણામ આપનારી બની રહે છે.