શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. લોકો માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરી તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. માંટે જ લોકો માં લક્ષ્મીની મૂર્તિ પણ પોતાના ઘરમાં રાખે છે. પરંતુ માતા લક્ષ્મીની મૂર્તિ રાખવાથી નુકસાન પણ થઇ શકે છે જો તમે તેને યોગ્ય રીતે ના રાખો તો.
1- પૂજા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ જરૂર હોય છે. પરંતુ કોઇવાર ભૂલથી દેવી લક્ષ્મીની ઉભી મૂર્તિ રાખવાથી ધનલાભ થતો નથી.
2- માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે અને ઘુવડનો સ્વભાવ ચંચળ હોય છે માટે દેવી લક્ષ્મીની મૂર્તિ ઘુવડ પર બેઠેલી ક્યારેય ના રાખવી જોઇએ.
3- પુરાણોમાં જણાવ્યા અનુસાર દેવી લક્ષ્મી ચંચળ હોય છે અને માટે ઉભેલી હાલતમાં મૂર્તિ રાખવાથી તે લાંબો સમય સુધી કોઇ એક સ્થળે તે ટકતી નથી. માટે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીની બેઠેલી મૂર્તિ રાખવી જોઇએ.
4- મોટા ભાગના ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ ભગવાન ગણેશજીની સાથે રાખવામાં આવે છે. આવી રીતે રાખવી ખોટી વાત છે. આપને જણાવી દઇએ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે માટે માતા લક્ષ્મીની મૂર્તિ સાથે ભગવાન વિષ્ણુની જ મૂર્તિ જ રાખવી જોઇએ.
5- ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને ફક્ત દીવાળીના દિવસે જ એક સાથે જ રાખવા જોઇએ. દીપાવલીના દિવસે ઘરમાં સુખ-સમૃધ્ધિ લાવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનું એકસાથે પૂજન કરવું જોઇએ.
6- માતા લક્ષ્મીની મૂર્તિને ક્યારેય પણ દિવાલ સાથે જોડીને ના રાખવી જોઇએ વાસ્તુમાં તેને દોષની રીતે જોવામાં આવે છે. મૂર્તિ અને દિવાલ વચ્ચે થોડી જગ્યા રાખવી જરૂરી છે.
7- વાસ્તુના જણાવ્યા અનુસાર પૂજાઘર અને તેમાં રાખવામાં આવેલ દેવી-દેવતાઓની મૂર્તિને સાચી દિશામાં રાખવામાં આવે તે ખુબ જ જરૂરી છે. દેવી લક્ષ્મીની મૂર્તિને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઇએ તો જ ફળની પ્રાપ્તિ થાય છે.