રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ઘણી એવી વસ્તુઓ છે જે સામાન્ય દેખાય છે પરંતુ તેઓ ઘણા ફાયદા પૂરા પાડે છે આ પ્રમાણે પગલાં લઈને સુખ અને સમૃદ્ધિ જીવનમાં આવે છે અને ગ્રહની ખામીઓ પણ દૂર કરવામાં થાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ખુશીઓ મહેકતી રહે એટલા માટે બાથરૂમમાં રાખવામાં આવેલ પાણીની ડોલને ભરીને રાખો. માત્ર આ નાનું કામ તમારા પરિવારની ખુશીને મહેકતી રાખશે. આ કાર્ય કરવાથી ઘરમાં લક્ષ્મીજીની પણ કૃપા બની રહેશે અને ધનની ક્યારેય અછત નહીં સર્જાય.
ફેંગશૂઇ શાસ્ત્ર અનુસાર બાથરૂમમાંટે વાદળી રંગની ડોલને શુભકારી માનવામાં આવે છે. વાદળી રંગની ડોલમાં પાણી ભરીને રાખવાથી ગ્રહદોષથી મૂક્તિ મળે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો બાથરૂમના દરવાજાની સામેના હિસ્સામાં અરીસો લગાવેલ હોય તો તાત્કાલિક અસરથી તેને હટાવી લેવો જોઇએ. અરીસાને આ દિશામાં રાખવાથી આર્થિક સંકટ આવી શકે છે. જેના કારણે કલેશ બીમારી અને નકારાત્મક ઉર્જા પણ મોટા પ્રમાણમાં ઉદભવે છે.
-રાતે સૂતાં પહેલા ઘરના રસોડાંમાં એક ડોલ ભરીને પાણી રાખો. જેના કારણે ઘરની સમૃધ્ધિમાં વધારો થશે જીવનમાં ઉન્નતિ આવશે અને નાણાકિય દેવામાંથી પણ મૂક્તિ મળશે.
-ધાર્મિક માન્યતા અનુસાર ફળ ખાધા બાદ તેની છાલ કચરા ટોપલીમાં નાખવા જોઇએ નહીં. છાલને કોઇ પશુઓને ખવડાવવી જોઇએ.
આમ કરવાથી મિત્રોનો સહકાર મળી રહે છે.
-મહિનામાં એકવાર પરિવાર સાથે બેસીને ખીર ખાવી જોઇએ. આમ કરવાથી લક્ષ્મીની કૃપા અવિરત બની રહે છે.
-ગુરૂવારના દિવસે પીળી ચીજ-વસ્તુ ના ખાવી જોઇએ.
-રાત્રિના સમયે ક્યારેય વાસી વાસણો ના રાખી મુકવા જોઇએ. જો તમે સાફ ના કરી શકો તો કાઇ નહીં પરંતુ પાણીથી થોડા સાફ કરીને પણ રાખવા જોઇએ.