ઘરના મુખ્ય દ્વાર પર મોટા ભાગના લોકો ગણેશજીની મૂર્તિ શુભ અશુભ અને સ્વસ્તિકનું પ્રતીક જરૂર રાખે છે. જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો મૂક્યો હોય તો પછી કેટલીક બાબતોની સાર સંભાળ રાખવી મહત્વની છે.
ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે સિંદૂર રંગના ગણેશજી ને શુભ માને છે. આ રંગના ગણેશજી ઘરમાં રાખવાથી બધી મનોકામના પૂરી થાય છે.
ઘરના મુખ્ય દ્વાર પર મોટા ગણેશજીની મૂર્તિ રાખી હોય દરવાજા ની આજુબાજુ સફાઇ કરવી.
ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો હોય તો દરવાજાની બીજી અને તેજ જગ્યાએ ગણેશજીની મૂર્તિ ને એવી રીતે લગાવો કે બંનેની મૂર્તિ ના પીઠ મળે.
ઘરમાં જો કોઇ વાસ્તુદોષથી ગરાયેલું હોય તો તે જગ્યાએ સિંદૂરમાં ઘી મેળવીને સ્વસ્તિક બનાવો. આવું કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે.
ઘરમાં ગણેશજી મૂર્તિ અને ફોટો બેસેલી અવસ્થામાં હોવા જરૂરી છે. તેથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.