વ્યકિતની ઓળખ તેના કપડાંથી થાય છે. કપડાં આપણા શરીરને ઢાંકવાનું કામ તો કરે જ છે સાથે સાથે વ્યકિત્વ વ્યવસાય ચરિત્ર વ્યવહાર આત્મવિશ્વાસ પણ દર્શાવે છે. કોઇ પણ વ્યકિતને કપડાં પહેરવાની રીત કપડાંના રંગ તેણી ગુણવત્તાથી સહેલાઇથી ઓળખી શકાય છે. ભારતીય સંસ્કૃતિ પર પ્રશ્ચિમ સંસ્કૃતિનો પ્રભાવ આવતા આજકલ ફાટેલા કપડાં જેવા કે જીન્સ ટૉપ પહેરવા આજકાલના યુવાનોની વચ્ચે ટ્રેન્ડમાં છે પરંતુ આ કપડાં પહેરવા આપણી સંસ્કૃતિ માટે શુભ માનવામાં આવે છે કેમકે એવા કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ પ્રભાવિત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાટેલાં કપડા પહેરવાથી શારીરિક ક્ષમતાં તથા ઉર્જા નષ્ટ થાય છે આ પ્રકારના કપડાં તન-મનમાં ઘણા પ્રકારની બિમારીઓને જન્મ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ રોમાન્સ અને દાંપત્ય જીવવની મધુરતા માટે ઉત્તરદાયી ગ્રહ માનવામાં આવ્યો છે આ સિવાય ભોગ-વિલાસ અને જીવનની ગુણવત્તાનું કાર્ય પણ શુક્રના હાથથી જ થાય છે. ફેંગશૂઇમાં પણ આ પ્રકારના ફાટેલા જીન્સ પહેરવાની ફેશનને ખોટી ગણવામાં આવી છે.
ફેંગશૂઇ અનુસાર ફાટેલા-જૂનાં કપડાં આપણા માટે ખરાબ સંજોગો લઇને આવે છે. ફાટેલા જીન્સ અને શર્ટ ગરીબીને આમંત્રણ આપે છે એ માટે ક્યારેય પણ ફાટેલા કપડાં નહી પહેરવા જોઇએ અને ન ખરીદવા જોઇએ ભલે ને પછી તે તમારા શરીર પર ગમે એટલા આકર્ષક લાગતા હોય. ફાટેલા જીન્સ પહેરી તમે ફેશન તો ફૉલો કરશો પરંતુ સારા સંજોગને ખરાબ સંજોગોમાં ફેરવી લેશો. આ પ્રકારના કપડાં પહેરવાથી ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઇ જાય છે.
નવા કપડાં હંમેશા બુધવાર અથવા તો શુક્રવારના જ ધારણ કરવા જોઇએ. શનિવારના દિવસે કોઇ નવા કપડાં ન પહેરવા જોઇએ.રાતના સમયે ક્યારેય પણ ભીના થયેલા કે સૂકાયેલા કપડાં બહાર નહી સૂકવવા જોઇએ કેમકે તે સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા હોય છે. જો કપડાં બહાર સૂકવી રાખો તો નકારાત્મક ઉર્જા કપડાંના માધ્યમથી ઘરમાં પ્રવેશ કરે છે. જ્યારે પણ આપણે આ પ્રકારના કપડાં પહેરીએ છીએ તેની અસર અમારા પર થતી હોય છે. પછી દિવસના હિસાબે અલગ-અલગ રંગના કપડાં પહેરો જેનો તમારા વ્યકિત્વ પર સકારાત્મક પ્રભાવ પડશે.