હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે. તુલસીના છોડને ઘરમાં લગાડવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તુલસીના છોડમાં તમામ ગુણો હોવા છતાં પણ કેટલીક પ્રકારની નકારાત્મક ઊર્જા પેદા કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડને લગાડવાની ખોટી દિશા અને તેનો ઉપયોગમાં ઘણી બેદરકારીના કારણે આપણા જીવનમાં નકારાત્મક અસર પડે છે. જો આ વાતનું ધ્યાન રાખશો તો તમારી ઉપર એની સકારાત્મક અસર પડશે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડના પાનને અગિયારસ રવિવાર અને મંગળવારે તોડવો જોઇએ નહીં.
ઉત્તર પૂર્વ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એટલા માટે ઘરની આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ કરવા માટે તુલસીને ઉત્તર પૂર્વ દિશામાં લગાવી જોઇએ.
જો તમે ઘરમાં વાસ્તુ શાસ્ત્ર સંબંધી કોઇ દોષ છે એટલે કે હંમેશા તમારા ઘરમાં કોઇને કોઇ પરેશાની બનેલી રહે છે. તો દક્ષિણ પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો.
જો તુલસીનો છોડ સૂકાઇ જાય તો એને નદી અથવા નજીકના કુવામાં નાંખી દેવો જોઇએ. જો તમે આવું ના કરી શકો તો છોડને માટીના કુંડામાં દાટી દેવો જોઇએ.