હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ખુશી અને સમૃદ્ધિ આવે છે. તુલસીની છોડ માતા લક્ષ્મીનું પ્રતીક છે એને ઘરમાં લગાવવાથી ધનની કમી થતી નથી. આ ઉપરંતા ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. શાસ્ત્રોમાં તુલસીના પાન તોડવા અને લગાવવા માટે કેટલાક નિયન જણાવવામાં આવ્યા છે.
વાસ્તુ અનુસાર તુલસીને હંમેશા ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં લગાવવી જોઇએ દક્ષિણ દિશા અને રસોઇઘરની પાસે ક્યારેય પણ તુલસીનો છોડ લગાવવો જોઇએ નહીં.
શાસ્ત્રોમાં તુલસીના પાન તોડવાના નિયમો જણાવવામાં આવ્યા છે. જે અનુસાર રવિવાર અને મંગળવારના દિવસે તુલસીના પાન તોડવા જોઇએ નહીં રવિવારના દિવસે ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય દિવસ માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે એઠલા માટે રવિવારે તુલસી તોડવી જોઇએ નહીં.
એકાદશી સંક્રાતિ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ અને સાંજના સમયે તુલસીના પાન તોડવા જોઇએ નહીં. સાથે જ કારણ વગર પણ તુલસીના પાન તોડવા જોઇએ નહીં.