ભારતીય પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના 3 નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા એક અધ્યયન અનુસાર લગભગ 5.5 કરોડ ભારતીય પ્રતિ વર્ષ પોતાના સ્વાસ્થ્યની દેખરેખ પર થતા ખર્ચના કારણે ગરીબ થઇ જાય છે. જેમાંથી 2.8 કરોડ લોકો એવા છે જે માત્ર દવાઓના કારણે થતા ખર્ચના કારણે ગરીબી રેખા નીચે આવે છે.
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા અધ્યયનના અનુસાર સ્વાસ્થ્ય પર કરવામાં આવેલા ખર્ચમાં સૌથી વધારે કેન્સર હૃદય રોગ અને ડાયાબિટીસ પર થાય છે. જેમાં કેન્સર એવી બિમારી છે જેના પર એટલો ખર્ચ કરવામાં આવે છે જે આર્થિક રીતે સક્ષમ પરિવારને પણ ગરીબ બનાવી લે છે.
એવું માનવામાં આવે છે જો ઘર પર થનારા કુલ ખર્ચમાં સ્વાસ્થય પર થનારા 10% કે તેનાથી વધારે થાય તો વ્યકિત માટે વિનાશકારી સાબિત થાય છે એટલે કે બિમારીઓ અને તેના પર થનારા ખર્ચાને કારણે સારા પરિવારને ગરીબીની તરફ ખેંચી જાય છે. જ્યારે કોઇ રોડ એક્સિડન્ટ પર ઘાયલ થનારા અથવા તો કોઇ કારણોસર દુર્ઘટનાના શિકાર થનારા લોકો પર કરવામાં આવેલી શોધથી ખબર પડી કે જેમાં સૌથી વધારે ખર્ચો કરનાર લોક આર્થિક રીતે કમજોર હોય છે જે ઓછામાં ઓછા 7 દિવસ હોસ્પિટલમાં રહે છે.
આ અધ્યયનના અધ્યયનકર્તાઓ 1993-94થી 2011-12 સુધી દેશવ્યાપી ઉપભોક્તા સર્વેક્ષણોના ડેટા અને વર્ષ 2014માં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલા સામાજિક ઉપભોગ: સ્વાસ્થ્ય સર્વેક્ષણનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.
દવાઓની ગુણવત્તા ઠીક નથી:
અધ્યયન દરમિયાન જ્યારે 2011-12ના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યુ તો ખબર પડી કે સરકારે દવાઓ અને સ્વાસ્થ્ય પર થનારા ખર્ચાને ઓછુ કરવા ઘણા ઉયાય કર્યા છે. આ અધ્યયનથી તે પણ ખબર પડી કે ડ્રગ કિંમત નિયંત્રણ ઓર્ડર 2013ના મહત્વપૂર્ણ દવાઓનું મૂલ્ય નિયંત્રણ હેઠળ આવશ્યક દવાઓની યાદીમાં નાખ્યું. સરકાર દ્વારા ઘણી સ્વાસ્થય વીમા યોજનાઓ શરૂ કરવાની છતાં દેશની ઘણી વસ્તીએ હોસ્પિટલમાં સારવાર અને દવાઓની ખરીદી પર વધારે વ્યય કરતી જોવા મળી છે.
ત્યારે સરકાર આ લોકોને ઓછી કિંમત પર દવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ અને ઔષધિ સ્ટોર્સની શરૂઆત કરી. આ હેઠળ લગભગ 3000 સ્ટોર ખોલવનો લક્ષ્ય રાખવામાં આવ્યો જે પૂરો થયો પરંતુ આ પહેલથી એટલી સફળ ના રહી જેટલું તેના વિશે વિચારવામાં આવ્યું હતુ. ક્યાં તો મોટેભાગે દવાઓનો સ્ટોક ન હતો અથવા તો જે દવાઓ મળતી તેની ગુણવત્તા ઠીક ન હતી.
જન ઔષધિ સ્ટોર્સમાં 100-150 પ્રકારની દવાઓ હતી જ્યારે કહેવામાં આવ્યુ હતુ કે અહીંયા 600થી વધારે દવાઓ ઉપલબ્ધ થશે. ભારતમાં હાલમાં 5.5 લાખથી વધારે ફાર્મસીની સરખામણીએ તેની સંખ્યા ઘણી ઓછી છે.