મૃત્યુનો ડર દરેક લોકોના મનમાં જરૂરથી હોય છે. મોટાભાગના લોકો આ ભયના કારણે હંમેશા ચિંતામાં રહે છે શિવપુરાણમાં ભગવાન શંકરે માતા પાર્વતીને કોઇ મનુષ્યનું મૃત્યુ થતા પહેલા કેટલાક સંકેતો માટે જણાવ્યું છે. આ સંકેતોના આધાર પર એવું જાણી શકાય છે કે કોઇ વ્યક્તિના મૃત્યુનો સમય શું હોઇ શકે છે.
શિવપુરાણ અનુસાર જ્યારે પણ કોઇ વ્યક્તિ પોતાનો પડછાયો પાણી અથવા તેલમાં બરોબર જોઇ ના શકે તો એનો મતલબ કે તમારું મૃત્યુ નજીક છે.
સૂરજ અને ચાંદો સામાન્ય નજરે જોવા મળતો નથી. એમને ચારે બાજુ કાળા અથવા લાલ રંગ જોવા મળે છે. તો એ વ્યક્તિનું મૃત્યુ 15 થી 20 દિવસની અંદર થઇ શકે છે.
જો કોઇ વ્યક્તિનું મોઢું અને ગળું વારંવાર સૂકાવવા લાગે અને માખીઓ ઘેરાવો કરે તો એનું મૃત્યુ 6 મહિનાની અંદર થઇ શકે છે.
શિવપુરાણમાં ભગવાન શંકરે માતા પાર્વતીને મૃત્યુ માટે જણાવતા કહ્યું છે કે જો કોઇ વ્યક્તિનું શરીર સફેદ અથવા પીળું પડી જાય તો મૃત્યુ નજીક આવવાનો સંકેત છે.
કોઇ વ્યક્તિના માથા પર કાગડો અને કબૂતર બેસી જાય તો એને પણ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે.