શુક્રવારે સંજય રાઉત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે જમ્મુ પહોંચ્યા, રાઉતે કહ્યું, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાનો હેતુ નફરત અને ડર દૂર કરવાનો
સંજય રાઉત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા
સંજય રાઉતના મતે રાહુલ ગાંધી PM પદ માટે સક્ષમ
જનતા નક્કી કરી લે તો કંઈ પણ થઈ શકે: સંજય રાઉત
મને આ યાત્રામાં કોઈ રાજનીતિ દેખાતી નથી: સંજય રાઉત
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત જોડાયા હતા. આ દરમ્યાન શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. રાઉતે કહ્યું કે રાહુલ ગાંધી ભારતના વડાપ્રધાન બનવા માટે સક્ષમ છે. લોકશાહીમાં જો જનતા દ્રઢ નિશ્ચય કરે તો કોઈ પણ વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે છે. શુક્રવારે સંજય રાઉત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે જમ્મુ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાનો હેતુ નફરત અને ડર દૂર કરવાનો છે, વિરોધી પક્ષોને તેમની પાર્ટીના બેનર હેઠળ એક કરવાનો નથી.
ANI અનુસાર રાઉતે શનિવારે ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું કે, તેઓ ભારતના વડાપ્રધાન બનવા માટે સક્ષમ છે. દરેક વ્યક્તિ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું 3,500 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકતી નથી, તેના માટે ખૂબ જ સંકલ્પ અને દેશ પ્રત્યેના પ્રેમની જરૂર છે. તેમણે દેશ માટે તેમની ચિંતા દર્શાવી છે અને મને આ યાત્રામાં કોઈ રાજનીતિ દેખાતી નથી. જોકે તેઓ પોતે વડાપ્રધાન બનવામાં રસ ધરાવતા નથી, પરંતુ જ્યારે લોકો તેમને ટોચના પદ પર જોવા માંગે છે, ત્યારે તેમની પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.
"कोई क्या रोकेगा हमें
हमने भारत जोड़ने की ठानी है"
શું કહ્યું સંજય રાઉતે ?
સંજય રાઉતે કહ્યું કે, કોંગ્રેસ વિના કોઈપણ મોરચો સફળ થઈ શકે નહીં અને આને ધ્યાનમાં રાખવું જોઈએ. હું શિવસેના તરફથી આવ્યો છું. દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને હું રાહુલ ગાંધીને એક એવા નેતા તરીકે જોઉં છું જે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. તેના સમર્થનમાં ભીડ ઉમટી રહી છે અને લોકો જોડાઈ રહ્યા છે.
#WATCH | Bharat Jodo Yatra resumes from Kathua in Jammu & Kashmir on the 125th day of its journey; sees the participation of Shiv Sena (Uddhav Thackeray) leader Sanjay Raut today pic.twitter.com/Ve81omvQ5m
નોંધનીય છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થવા જઈ રહી છે. આ પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ નવા અભિયાનની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરીથી શરૂ થશે. 130 દિવસના ઐતિહાસિક કાર્યક્રમ બાદ પાર્ટીએ 'હાથ સે હાથ જોડો અભિયાન' શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના મહાસચિવ, કેસી વેણુગોપાલે પણ તેનો લોગો શેર કર્યો અને કહ્યું કે 'હાથ સે હાથ જોડો અભિયાન'નો મુખ્ય ઉદ્દેશ્ય મોદી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવાનો રહેશે.