જો તમારી પાસે જૂની અને ફાટેલી નોટો હોય અને કોઈ દુકાનદાર તેને લેતો નથી તો, હવે તમે સરળતાથી આવી નોટો બદલી શકો છો. આરબીઆઈ તરફથી પણ ફાટેલી અને જૂની નોટોને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહક બેંકમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકે છે.
આ રીતે બદલો નોટ
ભારતીય રિઝર્વ બેંકના નિયમ મુજબ, દરેક બેંકને જૂની, ફાટેલી કે વળેલી નોટ સ્વીકાર કરવી પડશે, બસ શરત એ હશે કે તે નકલી ન હોવી જોઈએ. તમે સરળતાથી તમારી નજીકની બેંક બ્રાન્ચમાં જઈને નોટ બદલી શકો છો. તેના માટે કોઈ ચાર્જ નહીં લાગે. સાથે જ તેના માટે તે બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી.
બદલતા પહેલા બેંક ચેક નોટની કન્ડીશન કરે છે
નોંધનીય છે કે, નોટ બદલવી કે નહીં એ બેંક પર આધાર રાખે છે. તેના માટે કોઈપણ ગ્રાહક બેંકમાં બળજબરી નહીં કરી શકે. બેંક નોટ લેતી સમયે એ ચેક કરશે કે નોટને જાણી જોઈને તો ફાડવામાં નથી આવી ને. આ ઉપરાંત નોટની કન્ડીશન કેવી છે. ત્યારબાદ જ તેને બદલવામાં આવશે. જો નોટ નકલી નહીં હોય અને તેની કન્ડીશન થોડી ઠીક હશે તો બેંક તેને સરળતાથી બદલી દે છે.
આવી નોટ નહીં બદલી આપવામાં આવે
તમને જણાવી દઈએ કે, કેટલીક સ્થિતિઓમાં નોટોને બદલી નથી શકાતી. ભારતીય રિઝર્વ બેંકના નિયમો મુજબ, ખરાબ રીતે બળી ગયેલી, ટુકડે ટુકડા થવાની સ્થિતિમાં નોટોને બદલી આપવામાં આવતી નથી. આ પ્રકારની નોટોને આરબીઆઇની ઈશ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાય છે.
બિલ કે ટેક્સની ચૂકવણી કરી ચકો છો
તમને જણાવી દઈએ કે, આ પ્રકારની નોટોથી પોતાના બિલ કે ટેક્સની ચૂકવણી બેંકોમાં કરી શકો છો. આ ઉપરાંત આ પ્રકારની નોટોને બેંકમાં જમા કરી તમે પોતાના ખાતાની રકમને વધારી શકો છો. ઉલ્લેખનીય છે કે, જે પણ નોટ પર કોઈ સંદેશ લખ્યો હોય કે પછી કોઈ પ્રકારના રાજકીય સંદેશ લખ્યા હોય તે નોટોનો ઉપયોગ ન કરવો જોઈએ.