વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતિયા તિથિએ અક્ષય તૃતિયા મનાવવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે 26 એપ્રિલ 2020ના રોજ રવિવારે આ તહેવાર મનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ દિવસે ખરીદેલી વસ્તુમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો તમે રાશિ અનુસાર આ દિવસે ખાસ ઉપાય કરો છો તો તમને કોઈ ચીજની તકલીફ રહેશે નહીં.
આવતીકાલે અક્ષય તૃતિયાની ઉજવણી
અખાત્રીજે રાશિ અનુસાર કરો આ ઉપાય
દેવી લક્ષ્મીની રહેશે અપાર કૃપા
અખાત્રીજનું પૂજા મૂહૂર્ત
સવારે 6.36 મિનિટથી 10.42 મિનિટ સુધીનું મૂહૂર્ત ઉત્તમ છે. આ સમયે ભગવાન વિષ્ણુનું પૂજન શ્રેષ્ઠ ફળ આપે છે.
આ વસ્તુઓનું કરો દાન
પૂજા બાદ સત્તૂ, ગોળ, જળ, પંખો, ફળનું દાન કરવાથી શુભફળ મળે છે.
દરેક રાશિએ કરવા આ ઉપાયો
મેષ
આ રાશિના વ્યક્તિે સોનું અને ચાંદી ખરીદવું. સાથે કોઈ વાસણમાં તેલ ભરીને લાલ કપડાંમાં લપેટી લો. તેને ઘરના પૂર્વ ભાગમાં રાખો. તેનાથી જીવનમાં ઉન્નતિના માર્ગ ખૂલશે.
વૃષભ
આ રાશિના જાતકોએ પીળા કપડાંમાં ધાર્મિક પુસ્તક લપેટીને કબાટ કે કાર્યસ્થળે રાખવું. સાથે અન્ન અને વસ્ત્રનું દાન કરવું. આમ કરવાથી ઘરે સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સકારાત્મક ઉર્જાથી પણ કામ બનશે.
મિથુન
આ રાશિના જાતકોએ સવા મીટર પીળું કપડું લેવું અને તેમાં 51 પીળા સિક્કા બાંધીને ઘરના ઈશાન ખૂણામાં રાખી દેવા. આ સિવાય કાર્યસ્થળે મગની દાળનું દાન કરો. આમ કરવાથી વ્યવસાય કે નોકરીમાં મુશ્કેલી નહીં આવે.
કર્ક
કર્ક રાશિના જાતકોએ લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધીને ઘરે કે ઓફિસમાં રાખવી, સાથે જરૂરિયાત વાળાને ખાવાનું ખવડાવવું. આમ કરવાથી દેવી દેવતાઓના આર્શિવાદ બની રહેશે.
સિંહ
સિંહ રાશિના જાતકોએ બે નારિયેળના સૂકા ગોળા લેવા અને તેને ઉપરથી કાપીને તેમાં અનાજ ભરવું. આ પછી તેને મૌલીથી બાંધીને એક ગોળો કોઈ ગરીબ કે મંદિરમાં રાખો. અન્ય ગોળો પોતાના ઘરે કે મંદિરમાં રાખો. સાથે ગરીબ વ્યક્તિને પીળું ફળ દાનમાં આપો.
કન્યા
કન્યા રાશિનો સ્વામી બુધ છે. અક્ષય તૃતિયાના દિવસે પોતાના ગ્રહ સંબંધિત મૂંગ, વસ્તુ, લીલું કપડું કે શાકનું દાન કરો. તેની સાથે ગાયત્રીમંત્રનો જાપ પણ કરો.
તુલા
આ રાશિનો સ્વામી શુક્ર છે. ગરીબ વિદ્યાર્થીઓને સફેદ વસ્ત્ર કે શર્ટનું દાન કરો. શ્રી સૂક્તનો પાઠ કરો. આમ કરવું પુણ્ય દાયી રહેશે.
વૃશ્વિક
આ રાશિનો સ્વામી મંગલ છે. આ માટે એક વાટકીમાં સિંધવ મીઠું લો અને તેને કાર્યસ્થળની પૂર્વ દિશામાં રાખો. બજરંગબાણનો પાઠ કરો. આમ કરવાથી આવકમાં વધારો થશે અને આવકમાં વધારો થવાથી આર્થિક સમસ્યાઓ ખતમ થશે.
ધનુ
આ રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. એક વાટકીમાં પાણી ભરીને કપૂર નાંખો અને કામના સ્થળે રાખો. સાથે શ્રી રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને મંદિરમાં ચણાની દાળનું દાન કરો. આમ કરવાથી જીવનમાં મંગળ જ થશે.
મકર
મકર રાશિના સ્વામી શનિ છે. એક નાની શીશીમાં મધ ભરીને લાલ કપડામાં લપેટીને ઘરે કે કાર્યસ્થળે દક્ષિણ દિશામાં રાખો. સાથે હનુમાન ચાલીસાનો 108 વાર પાઠ કરો અને લોઢાનું દાન કરો.
કુંભ
આ રાશિનો સ્વામી શનિ છે અને સાથે તમે વિષ્ણુ કે લક્ષ્મીની સંયુક્ત રીતે પૂજા કરો. શનિના બીજ મંત્રનો જાપ કરો. સાથે ઘરમાં ગરીબ કે જરૂરીયાત વાળાને ભોજન કરાવો. આમ કરવાથી ક્યારેય ઘનની અછત નહીં રહે.
મીન
આ રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. કોઈ પણ સફેદ રંગની મૂર્તિને ઘર અથવા વ્યાપાર સ્થળે રાખો. સાથે રામચરિત માનસના અરણ્યકાંડનો પાઠ કરો અને ગરીબને પુસ્તક ભેટમાં આપો.