હથેળીમાં હાથની રેખાઓ ઉપરાંત બીજા ઘણા પ્રકારના નિશાન મળી આવે છે જેના દ્વારા વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય માટે સરળતાથી જાણી શકાય છે. આ ચિન્હોના પ્રભાવથી તમારા વર્તમાન જીવનમાં ધનવાન અને પ્રસિદ્ધ થશો કે નહીં એ વાતનું આકલન કરી શકો છો. અહીંયા કેટલાક એવા જ ચિન્હો માટે કહેવા જઇ રહ્યા છીએ જેને તમે તમારી હથેળીમાં સરળતાથી જોઇ શકો છો.
સમુદ્રશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની હથેળીમાં અંગુઠા પાસે ફીચર ચિહ્ન હોય છે એ વ્યક્તિ ધનવાન હોય છે. આવા વ્યક્તિઓને ભાગ્ય પણ હંમેશા સાથ આપે છે.
સમુદ્રશાસ્ત્રમાં શંખના નિશાનને શુભ સંકેતના રૂપમાં જોવામાં આવે છે. સમુદ્રશાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિની આંગળીના પ્રથમ વેઢા પર શંખનું નિશાન હોય છે એ બુદ્ધિમાન અને વિદ્વાન હોય છે.
જે વ્યક્તિની ચાર આંગળીમાં શંખનું નિશાન હોય છે એ સરકાર અને સરકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત હોય છે. જેની પાંચ આંગળીઓમાં આવું નિશાન હોય છે એ વિદેશ યાત્રા કરે છે. આવા વ્યક્તિ વિદેશ જઇને ખૂબ જ પૈસા અને સમ્માન મેળવે છે.
જેની દસ આંગળીઓમાં શંખનું નિશાન હોય છે એ મંત્રી અથવા મહાત્મા બની શકે છે. તેમજ આઠ શંખ વાળો વ્યક્તિ સુખમય જીવન વ્યતિત કરે છે.