જો તમે વજન ઘટાડવા માટે એક ઉપવાસ કર્યા બાદ 1 કે 2 દિવસ પછી ફરી ઉપવાસ કરતા હોવ તો ચેતી જજો. આ રીતે ઉપવાસ કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. આ વાત એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે.
રિસર્ચર્સ અનુસાર વજન ઘટાડવા માટે દર બીજા દિવસે ઉપવાસ શરીરને નુકસાન પહોંચાડે છે. ટાઇપ 2 ડાયાબિટીસ એક વધતી વૈશ્વિક મહામારી છે. સામાન્ય રીતે અસંતુલિત આહાર અને બેસીને કામ કરવાની જીવનશૈલી ટાઈપ-2 ડાયાબિટીસ માટે જવાબદાર છે. આ પ્રકારની જીવનશૈલીથી વજન પણ વધે છે.
બ્રાઝીલની સાઓ પાઉલો યુનિવર્સિટીમાં થયેલા આ રિસર્ચ અંગે લેખિકા અના બોનાસા જણાવે છે કે “આ પહેલી શોધ છે જે દર્શાવે છે કે વજન ઘટ્યા પછી પણ એક દિવસ છોડીને એક દિવસ ઉપવાસ કરવાથી સ્વાદુપિંડને નુકસાન પહોંચે છે. આના કારણે સ્વસ્થ વ્યક્તિઓના ઈન્સ્યૂલિનના કાર્ય પર અસર થાય છે. અને પછી ડાયાબિટીસ કે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ ઊભી થાય છે.”