દરેક વિદ્યામાં પારંગત મેળવેલ કાશીના જ્યોતિષાચાર્યો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક આગાહી મુજબ આગામી માસમાં ભૂકંપ આવવાની સંભાવના દેખાઇ રહી છે.આ ઘટના મંગળ અને શનિની યુતિના કારણે બનાવ બનશે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. જો કે આ બાબતોને કારણે કોઇએ ડરવાની જરૂર નથી.
જ્યોતિષનું માનીએ તો આગળના મહિને ભૂકંપનો યોગ બની રહ્યો છે. ભૂકંપનુ ક્ષેત્ર ભારતથી પૂર્વ ઉત્તર તથા દક્ષિણ દિશામાં હોવાનું મનાઇ રહ્યું છે. જ્યોતિષીય ગણના અનુસાર અત્યાર સુધીમાં જે કોઇ ધરતીકંપ થયા છે તે દરમિયાન મંગળના પાપ ગ્રહોથી પીડિત રહ્યા છે. ત્યારે આગામી 28 મેના રોજ ફરી એકવાર યોગ બની રહ્યા છે. તેવી જ રીતે ફરીવાર એક યોગ બની રહ્યો છે. આ ઘટના 28 મેના રોજ સાંજે 4.40 વાગ્યાથી આરંભ થશે અને 31 મેની રાત 2.28 વાગ્યા સુધી રહેવા પામશે.
કાશી વિદ્વત પરિષદના સંગઠન મંત્રીના જણાવ્યા મુજબ 24 એપ્રિલથી 4 જુલાઇ સુધી મધ્ય શનિ અને ગુરૂ એક સાથે આકાશ મંડળમાં ફરશે. જેના કારણે ભૂકંપનો યોગ સર્જાશે. આ યોગને કારણે વરસાદ ઉલ્કાપાત અને ભૂકંપ પણ થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.
તેમણે વધુમા જણાવેલ કે મંગળ ગ્રહ એકથી 2 મે સુધી મધ્યરાત્રિ ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને છ મહિના સુધી રહેશે.ન્યાયના દેવતા શનિ પણ ધનુ રાશિમાં 24 એપ્રિલ સુધી પરિભ્રમણ કરવાના હતા.
અશોકા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેંન્ટના ડાયરેક્ટર જનરલ ડો.પી.એસ દૂબેએ જણાવેલ કે આ સમયે શનિનો પ્રભાવ રહેશે. આ પ્રભાવ 5 મહિના સુધી રહેશે.