આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સમય-સમય પર રામાયણ પાઠ સત્યનારાયણ કથા સુંદરકાંડ સાપ્તાહિક સત્સંગ પ્રવચનનું આયોજન થતું રહે છે. તે ઘરમાં વાસ્તુદોષ ક્યારેય થતો નથી.
આ કાર્યો કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આ સાથે જ કેટલીક બીજી ચીજો પણ છે જેના ઘરમાં હોવાથી તમામ વાસ્તુદોષ સમાપ્ત થઇ જાય છે. આજે અમે તમને જણાવશુ કે. કઇ વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
1) ઘરની ચારેય દિવાલો પર વાસ્તુ શુદ્ધિના સાત્વિક નામ જપ કરવામાં આવેલી પટ્ટીઓ લગાવો. 2) સવારે અને સાંજના સમયે ઘરના તમામ સભ્ય મળીને પૂજા સ્થળ પર આરતી કરો. 3) ઘરમાં કંકાસ મતભેદ ટાળો. વાસ્તુ દેવતા 'તથાસ્તુ' કહેતા રહે છે તેથી કંકાસ કરવાથી કષ્ટ વધે છે તેમજ ધનનો નાશ થાય છે. 4) પાણીમાં મીઠું અને ફટકડી મિક્સ કરીને સફાઇ કરો. 5) ઘરમાં સવાર-સાંજ મીણબત્તી સળગાવીને ગૂગળ અને કપૂરની ધૂપ કરો. 6) ઘરમાં જો તુલસીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. 7) ઘરમાં નિયમિત ગૌ મૂત્રનો છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે. 8) ઘરની અંદર અઠવાડિયામાં બે દિવસ લીમડાના પાંદડાનો ધૂમાડો કરો.
જ્યોતીષ શાસ્ત્ર મુજબ જો આ આઠ વસ્તુઓ ઘરમાં હશે તો તમારા ઘરમાં હંમેશાં સુખ-શાંતિ રહેશે અને તમારા ઘરમાં હંમેશાં લક્ષ્મીનો વાસ રહેશે.