આજે નાગપંચમી છે અને આજના દિવસે મહાદેવની સાથે સાથે નાગ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે.
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના નાગ પંચમી ઉજવવામાં આવે છે
આજે નાગદેવતાની મૂર્તિને પૂજા કરવાથી ઘણો લાભ થાય છે
હિન્દુ ધર્મમાં નાગને પૂજનીય માનવામાં આવે છે આ સાથે જ તેને મહત્વપૂર્ણ દરજ્જો પણ આપવામાં આવ્યો છે. જેની પાછળ મુખ્ય કારણ છે કે નાગ દેવ ક્યાકને ક્યાક દરેક દેવી-દેવતાના વિરાટ રૂપમાં રહેલા છે. જેમકે ભગવાન શિવે નાગને પોતાના ગળામાં ધારણ કર્યા છે. ભગવાન ગણેશે જનોઈના રૂપમાં નાગને ધારણ કર્યા છે, તો ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર જ વિશ્રામ કરે છે.
આજે એટલે કે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસનાના દિવસો. આજે નાગપંચમી છે અને આજના દિવસે મહાદેવની સાથે સાથે નાગ દેવતાની પૂજા પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન શિવનો રુર્દ્રા અભિષેક કરવાથી અને સાથે સાથે નાગદેવતાને દૂધ ચઢાવવાથી કાલસર્પ દોષ દૂર થાય છે.
નાગ પંચમીનુ મહત્વ
એવું કહેવામાં આવે છે કે નાગ પંચમીની પૂજાનો સીધો સંબંધ ધન સંપત્તિ સાથે જોડાયેલ છે સાથે જ એવું માનવામાં આવે છે કે નાગ દેવ સંપત્તિનું રક્ષણ કરે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી પણ જીવનમાં ધન અને સંપતિનું આગમન થાય છે.
નાગદેવતાને પ્રસન્ન કરો
નાગપંચમીના દિવસે નાગ દેવતા ઉપાસના કરનારને ખુબ ધન પ્રાપ્તિ થાય છે. નાગ દેવતાની એક મૂર્તિ લઇ તેનું પૂજન કરી 'ऊं कुरु कुल्ले फट् स्वाहा' મંત્રનો સતત જાપ કરાવથી નાગદેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે.
હિન્દૂ ઘર્મમાં નાગની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે અને તેઓને દેવતાનું રૂપ માનવામાં આવે છે. નાગોનો જન્મ ઋષિ કશ્યપની બે પત્નિઓ કદ્રુ અને વિનતાથી થયો હતો. જાણો નાગવંશની આવીજ કેટલીક ઐતિહાસિક વાતો....
શેષનાગ
શેષનાગનું બીજુ નામ અનન્ત પણ છે. શેષનાગે પોતાની બીજી માતા વિનતા સાથે થયેલા છળ કપટના કારણે ગંધમાદન પર્વત પર તપસ્યા કરી હતી. તેમીન તપસ્યાના કારણે બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યુ હતુ. ત્યારથી શેષનાગે પૃથ્વીને પોતના ફેણ પર ટકાવી રાખી છે. ધર્મ ગ્રંથોમાં લક્ષ્મણજી અને બલરામજીને શેષનાગનો જ અવતાર માનવામાં આવે છે. શેષનાગ ભગવાન વિષ્ણુ સાથે સેવકના રૂપમાં ક્ષીર સાગરમાં રહે છે.
વાસુકિ નાગ
નાગ વાસુકિને સમસ્ત નાગોના રાજા માનવામાં આવે છે. ધર્મ ગ્રંથોના અનુસાર સમુદ્ર મંથન સમયે નાગરાજ વાસુકિને દોરડાના રૂપમાં પ્રયોગ કરવામાં આવ્યા હતા. ત્રિપુરદાહ અટલે કે યુદ્ધમાં ભગવાન શિવે એક જ બાણથી રાક્ષસોના ત્રણ પુરોને નષ્ટ કરી દીધા હતો. તે સમયે વાસુકિ શિવજીના ઘનુષનું દોરડુ બન્યા હતા. નાગ વાસુકિને જ્યારે ખબર પડી કે નાગકુળનો નાશ થવાનો છે અને તેની રક્ષા તેના ભગિનીપુત્ર દ્વારા જ થશે ત્યારે તેણે પોતાની બહેન જરત્કારુના લગ્ન કરાવી દીધા. આ પ્રકારે તેમણે સાપોની રક્ષા કરી નહિતર સમસ્ત નાગ તે સમયે નષ્ટ થઈ ગયા હોત.
તક્ષક નાગ
તક્ષક નાગ વિશે માહભારતમાં એક કથા છે. તેના અનુસાર શ્રૃંગી ઋષિના શ્રાપના કારણે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો જેનાથી તેમનું મૃત્યુ થયુ હતુ. તક્ષક નાગ સાથે બદલો લેવાના ઉદ્ધેશ્યથી રાજા પરીક્ષિતના પુત્ર જનમેજયે સર્પ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં અનેક સર્પ આવીને પડવા લાગ્યા હતા. ત્યારે આસ્તીક મુનિએ તક્ષકના પ્રાણોની રક્ષા કરી હતી. તક્ષક જ ભગવાન શિવના ગળામાં લપેટાયેલો રહે છે.
કર્કોટક નાગ
કર્કોટક શિવનું એક ગણ છે. પૌરાણિક કથાઓના અનુસાર પોતાની માતાના શ્રાપથી બચવા માટે તમામ નાગ અલગ-અલગ જગ્યાઓમાં યજ્ઞ કરવા ચાલ્યા ગયા. કર્કોટક નાગે બ્રહ્માજીના કહેવા પર મહાકાલ વનમાં મહામાયા ના સામે સ્થિત શિવલિંગની પૂજા કરી. શિવે પ્રસન્ન થઈને કહ્યુ જે નાગ ધર્મનું આચરણ કરે છે તેનો વિનાશ નહીં થાય.