સફળતા-સમૃદ્ધિ માટે ઘરમાં હંમેશાં ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર રાખવી અનિવાર્ય છે. ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર જે તે સ્થળે એક જ રાખવી.
વધુ રાખવાથી પોઝિટિવ એનર્જીનું પ્રમાણ જળવાતું નથી. કોઇપણ ઘર સુશોભનવાળું કે આંખને ગમે એવા પ્રકારનું હોવું જોઇએ. એવું ઘર સૌને ગમે છે. તેમાં વિવિધ સ્થળોએ મૂર્તિઓ કે ચિત્રો રાખેલાં હોય તો ઘર વધુ સુશોભિત લાગતું હોય છે.
પરંતુ આમાં માત્ર સુશોભનનું જ વલણ રાખવાને બદલે વાસ્તુશાસ્ત્ર કે ફેન્ગશૂઇ અનુસાર શું ફાયદાકારક છે તેની પણ દરકાર રાખવી જોઇએ. સકારાત્મક ઊર્જા મળતી હોય એવી મૂર્તિ કે તસવીરને પ્રાધાન્ય આપવું જોઇએ. પોઝિટિવ એનર્જીને પ્રોત્સાહિત કરે એવા પ્રકારની મૂર્તિઓ કે તસવીરો હંમેશા સુખાકારી અને સમૃદ્ધિ લાવનારી હોય છે.
ઘરમાં કેવી તસ્વીરો રાખવી જોઇએ:
- ઘરનાં તમામ કે વધુમાં વધુ સભ્યોની તસવીર કે ફોટાઓને ઉત્તર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશામાં જ લગાવવાં.
- ઘરના નવપરિણીત સભ્યનો સજોડ ફોટો કે પેન્ટિંગ રૂમમાં ઉત્તર દિશામાં કે દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવાં જોઇએ.
- ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર પૂર્વાભિમુખ રાખવી. તૂટેલી-ખંડિત-ફાટેલી મૂર્તિ કે તસવીર ન રાખવી.
- લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર બેઠેલી હાલતની હોવી જોઇએ ઊભેલી હાલતની નહીં. ઊભેલી મૂર્તિ કે તસવીર અસ્થિરતા સૂચવે છે.
- જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરની પશ્ચિમ દિશાની દીવાલ પર બાળકોનાં ચિત્ર કે મૂર્તિ મૂકવાં જોઇએ. તેને કારણે ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. તેનાથી બાળકોનો માનસિક વિકાસ સારો થાય છે. તેમનું નસીબ પણ ચમકે છે.
- જ્યોતિષ શાસ્ત્ર ઘરની મુખ્ય વ્યક્તિની તસવીર દક્ષિણ દિશામાં જ મૂકવી. દક્ષિણ દિશા અગ્નિ તત્વની દિશા છે. અગ્નિ દિશા પ્રસિદ્ધિ પ્રસન્નતા અને સંપન્નતા માટેની દિશા છે.
- અગ્નિનું પ્રતીક લાલ હોય છે. એટલે ઘરની મુખ્ય વ્યક્તિનો ફોટો લાલ રંગની ફ્રેમ કે બોર્ડરવાળો હોવો જોઇએ. આ પ્રકારનો ફોટો દક્ષિણમાં લગાવવાથી મુખ્ય વ્યક્તિની આબરુ સાખ અને સુખાકારી વધે છે.
- જો તમારે પ્રસિદ્ધિ જોઇતી હોય કે લોકપ્રિય બનવું હોય તો તમારી તસવીર-ફોટો ઓફિસમાં દક્ષિણ દિશામાં રાખવો.
- ઉપરાંત ઉત્તર દિશામાં ડોલ્ફિન જમ્પિંગ ફિશ કે માછલીઓની પેર(જોડી)ના ફોટા લગાવવા.
- સફળતા સંપન્નતા કે આર્થિક સમૃદ્ધિ માટે ઘરમાં હસતા બુદ્ધ-લાફિંગ બુદ્ધની મૂર્તિ રાખવાનું ચલણ આજકાલ વધેલું છે.
- દોડતા ઘોડાનો ફોટો પૂર્વ તરફની દીવાલ પર લગાવવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
- લાફિંગ બુદ્ધને કોઇ ટેબલ-ટિપોઇ કે સ્ટેન્ડ પર પણ રાખી શકાય. દુકાન કે ઓફિસના મુખ્ય એન્ટરન્સ પર પણ રાખી શકાય જેને કારણે આવકનાં દ્વાર પણ ખૂલી જતાં હોય છે.
- ગોલ્ડ ફિશવાળા એક્વેરિયમને બેડરૂમ કિચન કે બાથરૂમની પાસે ન રાખવું. એક્વેરિયમને ડ્રોઇંગરૂમમાં દક્ષિણ-પૂર્વ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જોઇએ.
- ફેન્ગશૂઇ અનુસાર ગોલ્ડ ફિશવાળું એક્વેરિયમ ઘરમાં હોવું એ ઘણું શુકનિયાળ મનાય છે. તેને કારણે ઘરમાંના અનેક વાસ્તુદોષો દૂર થાય છે. એક્વેરિયમમાં ઓછામાં ઓછી નવ જેટલી ગોલ્ડ ફિશ હોવી જરૂરી છે.
- ઘરની પૂર્વ દિશાની દીવાલ પર ઊગતા સૂર્યનું પેઇન્ટિંગ લગાવી શકાય.
- લાફિંગ બુદ્ધ ઘરના મુખ્ય દ્વાર-દરવાજા પાસે રાખવા જેથી ઘરમાં પ્રવેશનાર દરેક વ્યક્તિને એ લાફિંગ બુદ્ધ દેખાય.