હિન્દુ ધર્મમાં માન્યતાઓ મુજબ પાનના પત્તાઓને ખૂબ શુભ માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારના શુભ કાર્ય પહેલાં અથવા પૂજા-પાઠના સમયે પાનના પત્તાઓનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પાનના પત્તાઓ દ્વારા સુખ અને શાંતિ મેળવી શકાય છે. આજે અમે તમને જણાવીશુ પાનના પત્તાઓનુ એવુ રહસ્ય જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાનજીને પાનનુ બીડું અર્પણ કરવાથી લાંબા સમયથી અટવાયેલા કામો પૂર્ણ થાય છે. પરંતુ બીડું અર્પણ કરતા પહેલા ખાસ ધ્યાનમાં રાખો કે પાનમાં ફક્ત કાથો વરિયાળી ગુલકંદ અને ટોપરાની છીણ નાખો. પાનમાં ચૂનો અને સોપારી ન નાખવી.
જો તમારૂ કામ ઘણા સમયથી અટવાયેલું છે તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ રવીવારે ઘરથી નીકળતી વખતે પાનના પત્તાઓને ખિસ્સામાં રાખવાને શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી તમારૂ કામ તરત થઇ જશે.
જો તમારો વ્યવસાય ઠપ થઇ ગયો છે તો પાનના પત્તાઓને દાન કરો જેથી તમારી બધી તકલીફો દૂર થઈ જશે. આ બધા ઉપાયો જો બુધવારના દિવસે કરવામાં આવે તો તેને વધુ શુભ માનવામાં આવે છે.