સોનું પહેરવું એ ભારતીય પરંપરાનો ભાગ છે. પરંતુ કુંડળીમાં ગુરુની સ્થિતિ યોગ્ય નહીં હોય તો તમને મોટા નુકસાનની સંભાવના રહે છે. જાણો કઈ રાશિના લોકોએ સોનું પહેરવું નહીં અને કોને થઈ શકે છે નુકસાન.
સોનું પહેરવાથી થઈ શકે છે નુકસાન
લગ્ન અને કુંડળીમાં ગુરુની સ્થિતિ ચેક કરીને પહેરો સોનું
જાણો કઈ રાશિના લોકોને થશે નુકસાન અને કોણે ન પહેરવું સોનું
ઘર્મ ગ્રંથો, વેદ પુરઆમમાં જે રીતે સારી જિંદગી માટે અનેક ખરાબ ચીજોથી દૂર રહેવાની વાતો કહેવામાં આવી છે તેવી જ રીતે જ્યોતિષમાં કુંડળીમાં કેટલાક કામ કરવાની અને કેટલાક ન કરવાની વાત કરાઈ છે. તેમાં ખાસ કરીને વસ્તુઓના ઉપયોગ કરવા અને ન કરવાને લઈને પણ સલાહ આપવામાં આવી છે. તેમાંથી એક છે સોનાના ઘરેણાં. મહિલાઓની સાથે પુરુષો પણ સોનાની જ્વેલરી કે એસેસરીઝ પહેરે છે. પણ દરેકને સોનું ઉપયોગી થતુ નથી. કુંડળીની સ્થિતિ અનુસાર જાણો કે કયા લોકોએ સોનું પહેરવું કે તે લાભ આપી શકે અને કઈ રાશિના લોકોએ તેને પહેરવાનું ટાળવું અને નુકસાનથી બચવું.
સોનું પહેરવાથી થતી અસર
એ જાતકો જેમના લગ્ન મેષ, કર્ક, સિંહ અને ધન છે તેમને માટે સોનું ધારણ કરવાનું શુભ હોઈ શકે છે. શરીરના અલગ અલગ અંગોમાં સોનું ધારણ કરવાથી અલગ અલગ અસર જોવા મળી શકે છે. ગળામાં સોનું પહેરવાનો અર્થ છે કે તમારો ગુરુ ગ્રહ કુંડળીના લગ્ન ભાવમાં બેસી જશે અને અસર દેખાશે. આ રીતે હાથમાં સોનું પહેરવાનો અર્થ છે કે ગુરુ ત્રીજા ભાવમાં રહેશે. આ ભાવ પરાક્રમનો ભાવ હોઈ શકે છે.
આ લોકોને સોનું પહેરવાથી થઈ શકે છે નુકસાન
જ્યોતિષના આધારે જે રીતે રત્ન કુંડળી જોઈને પહેરવામાં આવે છે તેવી રીતે સોનું પણ કુંડળીમાં ગુરુની સ્થિતિ જોઈને પહેરવું જોઈએ નહીં તો તે તમારા માટે નુકસાન કરી શકે છે. વૃષભ, મિથુન, કન્યા અને કુંભ લગ્ન વાળા લોકો માટે સોનું પહેરવાનું સારુ હોતું નથી. તુલા અને મકર લગ્નના લોકો માટે સોનું પહેરવું જરા પણ યોગ્ય નથી. વૃશ્વિક અને મીન લગ્નના લોકોએ સોનું પહેરવાથી મધ્યમ અસરનો અનુભવ મળી શકે છે. એટલે કે તેમને વધારે ફાયદો પણ નહીં થાય અને ખાસ નુકસાન પણ નહીં થાય. પરંતુ જેમની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ છે તેઓએ જરા પણ સોનું પહેરવું નહીં. નહીં તો મોટા નુકસાનનો સામનો કરશો.