જ્યોતિષ શાસ્ત્રમાં દરેક પરિસ્થિતિમાં દરેક સમસ્યાને દુર કરવાના ઉપાય બતાવવામાં આવ્યા છે અને એમાં પણ આર્થિક સ્થિતિને મજબૂત અને ધન સંપત્તિને વધારવા માટે કેટલીક અચૂક વાતો બતાવી છે.
આ સાથે જ આ શાસ્ત્રમાં કોઈ વિશેષ સમય કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે. જેનાથી તમારા પર કર્જ નહી વધે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. આજે અમે તમને જણાવશું એની કેટલીક વાતો જેથી તમારી પરેશાની દુર થશે અને તમને એક નહીં પણ અઢળક લાભ થશે.
- સાંજના સમયે સુવુ વાસ્તુમાં સખત મનાઈ છે. આ ટેવથી તમારા ઘરમાં ગરીબી વધે છે અને તમારા પર કર્જ લેવાનો વારો આવી શકે છે. સૂવાના સ્થાન પર સાંજે પૂજા પાઠ કરો.
- સાંજના સમયે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ કે ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ. તેનાથી તમારા પર કર્જ વધી શકે છે અને પૈસાનો પ્રવાહ બહારની તરફ થાય છે.
- લક્ષ્મી માતાને ઘરમાં સાફ સફાઈ ખૂબ પસંદ છે. પણ યાદ રાખો કે સાંજના સમયે ઘરમાં સાફ સફાઈ કે ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને કર્જનો ભાર વધે છ્
- ઘરની દિવાલ અને ખૂણામાં ગંદકી ન થવી જોઈએ. તેથી નિયમિત ઘરની સાફ સફાઈ કરતા રહો.
- પૂજા પાઠ કે અન્ય કોઈ કામ માટે સાંજના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે.