જ્યોતિષ શાસ્ત્રમાં પીળી હળદરનું અનેક ગણુ મહત્વ છે. જે લોકો જ્યોતિષની જાણકારી રાખે છે તેઓનું કહેવું છે કે હળદરના પ્રયોગથી કુંડળીમાં રહેલી ગ્રહોની કોઈપણ સમસ્યાને નિવારી શકાય છે. ધર્મ હોય કે પછી જ્યોતિષ કે પછી આપણું સામાન્ય જીવન દરેક કામ પીળી હળદર વગર અધૂરું છે. હળદર ખાસ તો બૃહસ્પતિ થી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે.
આ હળદર ઘણા રંગની હોય છે. જેમાં ખાસ પીળા, નારંગી અને કાળા રંગની હળદર હોય છે. આથી તેના રંગ ને આધારે તેનો પ્રયોગ કરવામાં આવે છે. પીળી હળદરનો સંબંધ બૃહસ્પતિ સાથે છે, જ્યારે નારંગી હળદરનો સંબંધ મંગળ સાથે છે અને કાળી હળદરનો સંબંધ શનિના ગ્રહ સાથે છે.
માણસના બૃહસ્પતિને મજબૂત કરવા માટે પીળી હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. સાથે સાથે બૃહસ્પતિથી જોડાયેલ સમસ્યાનું સમાધાન માટે પીળી હળદર રામબાણ સમાન છે.
હળદર ખાવામાં તો સ્વાદ વધારે જ છે, સાથે સાથે તે દરેક મંગળ કામમાં પણ શોભે છે. હળદરનો પીળો રંગ તેને બૃહસ્પતિ (ગુરુ) સાથે જોડે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિને મજબૂત કરવા માટે હળદરનો ઉપયોગ થાય છે . જ્યોતિષમાં કહ્યા અનુસાર હળદર એ વિભિન્ન ગુણોનો ભંડાર છે. હળદર વગર ભોજન અધૂરું છે અને કોઈ પણ શુભ પ્રસંગ પણ અધૂરો છે.
જો તમારા લગ્નમાં સતત એક પછી એક બાધા આવી રહી હોય, કે પછી કોઈ કારણ થી તમારી સગાઈ કરવામાં વિઘ્ન આવે છે, તો આવા સમયે હળદરનો આ પ્રયોગ કરવાથી તમારા લગ્ન જલ્દી થઈ જશે. આ ઉપરાંત તમારી કુંડળીમાં ગુરુ નબળો છે અને તેનાથી તમારા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો હળદરનો ઔષધિય પ્રયોગ કરવાથી ગુરુને મજબૂત કરી શકાય છે.