હિન્દી જગતના મશહૂર સાહિત્યકાર નામવીર સિંહનું મંગળવારને મોડી રાત્રે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તે છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. તેઓ દિલ્હી ખાતે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા.
બ્રેઇન હેમરેજના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. 92 વર્ષના નામવર સિંહને તબીબો લાંબા સમયથી ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તબિયત બગડતાં તેમને આઇસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસમાં તેમની તબિયત સારી થઇ જતા આઇસીયુમાંથી રજા આપી દેવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર નામવર સિંહ પોતાના રૂમમાં પડી ગયા હતા
ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ તેમની તબિયત સતત બગડતી જતી હતી. તેમના પારિવારિક સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ તેઓના આજે દિલ્હીના લોધી ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ડો. નામવર સિંહના નિધનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. સાહિત્ય અને પત્રકારિતા જગતના દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.