અમદાવાદમાં દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS વર્ષે કેટલાં લોકોનો ભોગ લે છે એ આંકડો સાંભળી તમે ચોંકી જશો. સ્માર્ટ સિટીના વિકાસની મોટી વાતો કરતું મ્યુનિ. તંત્ર સાવ બહેરું છે. છેલ્લા 14 વર્ષમાં કાળમુખી AMTS બસોએ 223 લોકોને ભરખી ગઈ છે અને છતાં પણ ડ્રાઈવરો પર કોઈ લગામ નથી.
AMTS પાછળ AMC કરોડો ખર્ચે પણ ડ્રાઈવરોને સદબુદ્ધિ ક્યારે આપશે
AMTSના ડ્રાઈવરોને અકસ્માત કરવાનો પીળો પરવાનો?
AMTS બસોએ 14 વર્ષમાં 10,789 અકસ્માત કર્યા
તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બજેટની મોસમ ચાલે છે. ટ્રાન્સપોર્ટ મેનેજરનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હોઇ હવે ચેરમેનનું રિવાઇઝ્ડ બજેટ મૂકશે, પરંતુ બજેટના ઠરાવ સમગ્ર વર્ષ દરમ્યાન ફક્ત 'કાગળ' પર જ રહે છે તે એક કડવી વાસ્તવિકતા છે. બસના સંચાલનમાં પણ કોઇ ફરક પડતો નથી. રસ્તા પર બેફામ દોડતી બસથી લોકોને ભયમુક્ત કરવાનું પાયાનું આયોજન પણ કરાતું નથી, જેના કારણે એએમટીએસ બસ વધુ ને વધુ ઘાતક બનતી હોઇ છેલ્લાં ૧૪ વર્ષમાં રર૩ નાગરિક કચડાઇ ગયા છે.
ર૦૧૮-૧૯ સુધીમાં કુલ રર૩ નાગરિકનો ભરખી ગયા છે AMTS ના વ્હીલ
ખુદ તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ ગત નાણાકીય વર્ષ ર૦૦પ-૦૬થી ગત ર૦૧૮-૧૯ સુધીમાં કુલ રર૩ નાગરિક એએમટીએસ બસનાં તોતિંગ પૈડાં નીચે કચડાઇ મર્યા છે, જેમાં સંસ્થા માલિકીની બસ કરતાં ખાનગી ઓપરેટરની બસ લોકો માટે વધુ જોખમી બની છે. એએમટીએસ સંસ્થાની બસથી કુલ ૪પ૮ર અકસ્માતમાં કુલ ૯૭ વ્યક્તિનાં મોત થયાં છે તો ખાનગી ઓપરેટરની બસથી કુલ ૬ર૯૭ અકસ્માતથી ૧ર૬ વ્યક્તિ મરણને શરણ થઇ છે.
AMTSનો વહીવટ સદંતર ખાડે ગયો
એએમટીએસનો વહીવટ સદંતર ખાડે ગયો છે. એએમટીએસમાં ખાનગીકરણ વધવાથી સંસ્થાની આબરૂ વધુ ને વધુ ખરડાતી જાય છે. એએમટીએસ સંસ્થાના સત્તાધીશો પણ ખાનગીકરણના રવાડે ચઢ્યા હોઇ પેસેન્જર્સ માટે આ બસ સર્વિસ મુસીબતરૂપ બની છે. ખાનગી ઓપરેટરની બસના રફ ડ્રાઇિવંગ તેમજ સિનિયર સિટીઝન અને મહિલાઓ સાથેના ઉદ્ધત વર્તનના સતત બનાવ વધી રહ્યા છે, પરંતુ અગમ્ય કારણસર તંત્ર કડકાઇથી કામ લઇ શકતું નથી.
છેલ્લાં ત્રણ વર્ષમાં તંત્ર દ્વારા રૂ.૪પ૮.૬૦ કરોડની લ્હાણી કરાઇ
તંત્ર પાસે કુલટાઇમ ટ્રાન્સપોર્ટ મેનેજર છેલ્લા દાયકાથી વધુ સમયથી ન હોઇ એએમટીએસ બસ સર્વિસનો ઝીણવટભર્યો વહીવટ થઇ શકતો નથી તેમ જાણકાર સૂત્રો કહે છે. આ સૂત્રો વધુમાં કહે છે, ખાનગી ઓપરેટરોને રોડ પર બસ દોડાવવા દર વર્ષે આશરે રૂ.૧૬૦ કરોડ ચૂકવાઇ રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તંત્ર દ્વારા રૂ.૪પ૮.૬૦ કરોડની લ્હાણી કરાઇ છે. આની સામે ખાનગી ઓપરેટરના ડ્રાઇવરને શિસ્તમાં રહીને બસ હંકારવાની તાકીદ પણ એએમટીએસના ઉચ્ચ અધિકારીઓ જે તે ખાનગી ઓપરેટરને કરી શકતા નથી.
છેલ્લાં ૧૪ વર્ષમાં AMTS બસના લીધે રર૩ નાગરિકોના થયા છે મોત
આમ, છેલ્લાં ૧૪ વર્ષમાં એએમટીએસ બસના કુલ 10879 અકસ્માત થઇ રર૩ નાગરિકના જીવ ગયા છે એટલે કે ૧૪ વર્ષના કુલ પ૧૧૦ દિવસ મુજબ દરરોજ બેથી વધુ નાના-મોટા અકસ્માત તો થયા જ હતા!