મહેસાણામાં મોડીરાતે બસને અકસ્માત નડ્યો છે. અંબાજીથી પરત ફરતી વખતે આંબાઘાટા નજીક પ્રવાસીઓથી ભરેલી બસ પલટી હતી. જેમાં 45 સિનિટર સિટીઝનને ઇજા પહોંચી છે. જ્યારે 20 લોકોને ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ ખસેડાયા છે.
અંબાજીનાં દાંતા પાસે આંબાઘાઠામાં મોડી રાત્રીએ ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3ને ગંભીર અને અન્ય 42 મુસાફરોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે સતલાસણા હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, લકઝરી બસમાં 65 સિનીયર સિટીઝન સવાર હતા. જે તમામને ઇજાઓ પહોંચી હતી. તો આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બસમાં બેઠેલા મુસાફરો મહેસાણા આસપાસના છે. અંબાજી માતાના દર્શન કરી મોડી રાત્રે પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતની જાણ થતા સતલાસણા અને દાંતા પોલીસ તેમજ 108 ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.